Valsad Highway Accident: વલસાડના કુંભઘાટ પર કાળમુખો અકસ્માત, બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ નીકળતા એક જ પરિવારના સાત સભ્યોના કરુણ મોત

Arati Parmar
3 Min Read

Valsad Highway Accident: ગુજરાતના વલસાડ જિલ્લામાં કપરાડા-નાનાપોંઢા હાઈવે પર કુંભઘાટ પાસે ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે મૃતકો કપરાડા તાલુકાના અંબા જંગલ ગામના રહેવાસી હતા. અકસ્માત સમયે કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં પાંચ પુરુષો અને બે મહિલાઓ સામેલ હતી. આ દુર્ઘટના કુંભઘાટના તે તીવ્ર વળાંક પર થઈ હતી, જેને અધિકારીઓ પહેલાથી જ અકસ્માત-ગ્રસ્ત વિસ્તાર ગણાવતા રહ્યા છે. ટ્રક અને કાર વચ્ચેની સામસામે ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

૫ લોકોના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કાર્યમાં લાગી ગયા હતા. ઈમરજન્સી સેવાઓની મદદથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. બે ગંભીર રીતે ઘાયલ પુરુષોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડી દીધો હતો. આ રીતે મૃતકોની સંખ્યા સાત થઈ ગઈ છે.

- Advertisement -

પોલીસે શું જણાવ્યું?

ઇન્સ્પેક્ટર સુરજસિંહ વસાવાએ કહ્યું કે અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા, જેમાં પાંચ પુરુષો અને બે મહિલાઓ સામેલ છે. પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. બે પુરુષોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમનું પણ મૃત્યુ થયું. આ માર્ગ પહેલા પણ અકસ્માતો માટે જાણીતો છે અને મોટાભાગના કિસ્સાઓમાં ટ્રક સામેલ રહ્યા છે.

આ ઘટના બપોરે લગભગ એક વાગ્યે થઈ હતી. પહાડી રસ્તા પર ઉતરતી વખતે કારને પહેલા પાછળથી એક ટ્રકે ટક્કર મારી હતી. ત્યારબાદ કાર એક ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર સાત લોકોમાંથી પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બેના મોત નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ સામેલ છે. – એસ.એલ. વસાવા, ઇન્સ્પેક્ટર કપરાડા પોલીસ સ્ટેશન.

અકસ્માતમાં ટ્રક ચાલક પણ જખમી

અકસ્માતમાં ટ્રક ચાલક પણ ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે હજુ તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી, તેથી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે દુર્ઘટના ચાલકની બેદરકારીથી થઈ કે અન્ય કોઈ કારણસર. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે, જેથી અકસ્માતના ચોક્કસ કારણો જાણી શકાય.

- Advertisement -
Share This Article