Coaching Advertisement Penalties: વિદ્યાર્થીઓ સાવધાન: આઈએએસ કોચિંગ સંસ્થાને ભ્રામક જાહેરાતો બદલ ૧૫ લાખનો ફટકો, સફળતાના મોટા દાવા પાછળની ‘અધૂરી હકીકત’ પકડાતા CCPA એ લીધા કડક પગલાં

Arati Parmar
3 Min Read

Coaching Advertisement Penalties: જો તમે સિવિલ સર્વિસ પરીક્ષા અથવા અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ અને અખબારો કે સોશિયલ મીડિયામાં આવતી જાહેરાતોના આધારે કોઈ નિર્ણય લો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ગ્રાહકોના હિત માટે કામ કરતી સરકારી સંસ્થા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ આઈએએસ કોચિંગ સાથે જોડાયેલી જાણીતી સંસ્થા વાજીરાવ એન્ડ રેડ્ડી પર 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઓથોરિટીનું કહેવું છે કે આ કોચિંગ સંસ્થાએ 2024ની પોતાની એક જાહેરાતમાં અડધી-અધૂરી માહિતી આપી હતી, જે કાયદાનું ઉલ્લંઘન છે.

જાહેરાતમાં કરવામાં આવેલા દાવા અને ખામી

આદેશ મુજબ, આ IAS કોચિંગ સંસ્થાએ પોતાની વેબસાઇટ પર એક જાહેરાતમાં દાવો કર્યો હતો કે સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ના પરિણામમાં સંસ્થાના 645 થી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે. સંસ્થાએ એવો પણ દાવો કર્યો હતો કે ટોપ 10 રેન્કમાં તેના પણ વિદ્યાર્થીઓ હતા. ઓથોરિટીના આદેશ મુજબ, સંસ્થાએ પોતાની જાહેરાતમાં એ વાતની જાણકારી આપી નહોતી કે જે સફળ વિદ્યાર્થીઓનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેમણે સંસ્થાના કયા અભ્યાસક્રમ કે કોર્સમાં એડમિશન લીધું હતું.

- Advertisement -

વારંવાર ઉલ્લંઘનનો આરોપ

ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ સંસ્થા પર આવો દંડ પહેલા પણ લગાવવામાં આવ્યો છે. સિવિલ સર્વિસ પરીક્ષા 2022 ના પરિણામો સંબંધિત ભ્રામક જાહેરાત પ્રકાશિત કરવા બદલ પણ સંસ્થા પર કાર્યવાહી કરવામાં આવી હતી અને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આમ છતાં સંસ્થાએ તેની પછીની જાહેરાતોમાં પણ આ પ્રકારના દાવા કરવાનું ચાલુ રાખ્યું હતું, જે ઓથોરિટીના મતે નિયમોના પાલનમાં બેદરકારી દર્શાવે છે. ગ્રાહક કાયદા હેઠળ ફરીથી ઉલ્લંઘન થવા પર વધુ દંડની જોગવાઈ છે.

સંસ્થાનો જવાબ અસંતોષકારક

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ કાર્યવાહી દરમિયાન સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવેલા સફળ ઉમેદવારોના ફોર્મની તપાસ કરી હતી, જે સંસ્થામાં એડમિશન દરમિયાન આપવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના ઉમેદવારોના ફોર્મમાં તે કોર્સ કે પાઠ્યક્રમનો ઉલ્લેખ નહોતો, જેનો સંસ્થાએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.

- Advertisement -

કોચિંગ જાહેરાતો પર કડકાઈ

જ્યારે પણ સિવિલ સર્વિસ, JEE કે NEET જેવી પરીક્ષાઓનું પરિણામ જાહેર થાય છે, ત્યારે કોચિંગ સંસ્થાઓ તરફથી જાહેરાતોનો પૂર આવે છે. આ જાહેરાતોમાં દાવો કરવામાં આવે છે કે સફળ થનારા, ખાસ કરીને ઊંચા રેન્ક લાવનારા વિદ્યાર્થીઓએ ફલાણી કોચિંગ સેન્ટરથી અભ્યાસ કર્યો છે. જોકે આનાથી વિદ્યાર્થીઓને પોતાનો નિર્ણય લેવામાં મદદ મળે છે, પરંતુ ભ્રમ ત્યારે પેદા થાય છે જ્યારે એકસાથે ઘણી કોચિંગ સંસ્થાઓ સફળ થયેલા કોઈ એક વિદ્યાર્થી પર પોતાનો દાવો ઠોકી દે છે. હવે સરકાર આવા કિસ્સાઓને રોકવા માટે કડક પગલાં ભરી રહી છે.

Share This Article