વડોદરાઃ સીલબંધ એકમો ખોલવા માટે સ્પેશિયલ સેલની રચના.

Reena Brahmbhatt
2 Min Read

વડોદરા કોર્પોરેશને સીલ કરેલી મિલકતોના સંચાલકોને માર્ગદર્શન આપ્યું હતું

રાજકોટ અકસ્માત બાદ 28મી મેથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને અન્ય પ્રમાણપત્રોના અભાવે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સીલીંગ ખોલવા અને નાગરિકોને યોગ્ય માહિતી મળે તે માટે વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ, ટાઉન પ્લાનીંગ ઓફિસર જીતેશ ત્રિવેદી અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીએ સ્પેશિયલ સેલની રચના કરી પાલિકામાં સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. માર્ગદર્શન આપ્યું હતું. સીલીંગ ખોલવા અને શહેરીજનોને યોગ્ય માહિતી મળી રહે તે માટે પાલિકા દ્વારા સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી હતી અને પાલિકાના વિવિધ સંકુલો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

- Advertisement -

vadodara municipal corporation

સીલ કરાયેલ જગ્યાઓ અને એકમોમાંથી સીલ દૂર કરવા પાલિકાને વારંવાર અપીલ કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે. જેમાં ટીડીઓ અને ફાયર ઓફિસર કામગીરી કરશે. આ સેલમાં 25 અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરશે. શુક્રવારે પાલિકામાં બેઠક યોજાઈ હતી, જેમાં સીલ કરાયેલી ઈમારતોના માલિકો અને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓને બોલાવીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પાલિકા દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકો જરૂરી વિગતો અને બાંયધરી સાથે જરૂરી પુરાવા આપી સીલબંધ બાંધકામ ખોલાવી શકશે. વ્યક્તિએ જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા સાથે નગરપાલિકાને અરજી કરવાની રહેશે. જે બાદ પાલિકા આધાર પુરાવાની ચકાસણી કર્યા બાદ સીલ ખોલવા કે નહી તે અંગે નિર્ણય લેશે. આથી જે પણ બાંધકામ સંસ્થા સીલ ખોલવા માંગતી હોય તેમણે તાત્કાલિક અરજી કરવી, જરૂરી પુરાવાઓની ચકાસણી કર્યા બાદ પાલિકા સીલ ખોલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે. આ બેઠકમાં વિવિધ કેમ્પસ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમને ટાઉન પ્લાનિંગ વિભાગ અને શહેર વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
Share This Article