Success Story: 2500થી શરૂ કરેલા બિઝનેસનું ટર્નઓવર આજે 50 કરોડ

Arati Parmar
3 Min Read

Success Story of Pramod Kumar Bhadani: બિહારના ગયાના રહેવાસી પ્રમોદ કુમાર ભદાણીની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. એક સમયે 2500 રૂપિયાની મૂડીથી બિઝનેસ શરૂ કરનાર પ્રમોદ કુમાર આજે કરોડોના માલિક બની ગયા છે. તેઓ પ્રમોદ લાડુ ભંડાર (Pramod Laddu Bhandar) ચલાવે છે. તેઓ સખત મહેનતના દમ પર અહીં સુધી પહોંચ્યાં છે. તેમનો બિઝનેસ બિહાર-ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં ફેલાયેલો છે. તેમનું વાર્ષિક ટર્નઓવર 50 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. ચાલો પ્રમોદ કુમાર ભદાનીની સફળતાની કહાની વિશે અહીં જાણીએ.

14 વર્ષની ઉંમરે છોડ્યો અભ્યાસ

- Advertisement -

પ્રમોદ કુમાર ભદાણી એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું. તેમના પિતા લારી પર લાડુ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રમોદ કુમાર સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા, પરંતુ 14 વર્ષની ઉંમરે જ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. તેઓ તેમના પિતાને મદદ કરવા માંગતા હતા. તેઓએ તેમના પિતા પાસેથી 2500 રૂપિયા ઉધાર લઈને શહેરમાં લારી પર લાડુ વેચવાનું શરૂ કર્યું હતું. તેમના સ્વાદિષ્ટ લાડુ લોકોને ખૂબ જ પસંદ આવવા લાગ્યા. તેમનો બિઝનેસ ચાલી ગયો.

દિવસ-રાત કરી મહેનત

- Advertisement -

પરંતુ પ્રમોદ કુમારનું સપનું કંઈક મોટું કરવાનું હતું. તેથી તેમણે દિવસ-રાત મહેનત કરી, તેઓ આખી રાત લાડુ બનાવતા અને દિવસે વેચતા હતા. તેઓ દરરોજ 19 કલાક કામ કરતા હતા. તેઓને સૂવા માટે સમય પણ મળતો ન હતો. પ્રમોદ કુમારને પહેલી સફળતા ત્યારે મળી જ્યારે તેમણે એક નાની મીઠાઈની દુકાન ખોલી. ત્યારબાદ તેમનો બિઝનેસ ઝડપથી વધ્યો. તેઓ બિહારની સાથે-સાથે પડોશી રાજ્ય ઝારખંડમાં લાડુ સપ્લાય કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે પ્રમોદ કુમારનો બિઝનેસ એક ફેક્ટરીમાં બદલાઈ ગયો. અહીં લાડુ પરંપરાગત રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે બનાવવામાં આવે છે.

કેટલું છે વાર્ષિક ટર્નઓવર?

- Advertisement -

પ્રમોદ લાડુ ભંડારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા અને કોલકાતામાં તેમના કુલ 8 આઉટલેટ છે. તેમનું વાર્ષિક ટર્નઓવર 50 કરોડ રૂપિયા છે. પ્રમોદ લાડુ ભંડાર તેના ખાસ લાડુ ઉપરાંત અન્ય મીઠાઈઓ, નમકીન અને બેકરી પ્રોડક્ટ્સ પણ વેચે છે. પ્રમોદ કુમાર ભદાણી, જેઓ એક સમયે લારી પર લાડુ વેચતા હતા, આજે કરોડપતિ બિઝનેસમેન બની ગયા છે.

પ્રમોદ કુમાર ભદાણી સફળતાનો અસલી મંત્ર ગ્રાહકોની જરૂરિયાતો અને ક્વોલિટીને માને છે. તેઓનું માનવું છે કે ગ્રાહક અને સપ્લાયર વચ્ચે સારા સંબંધો હોવાથી બિઝનેસમાં સફળતા મળે છે. પ્રમોદ કુમારની કહાની એ લોકો માટે પ્રેરણાદાયી છે, જેઓ ઓછા સંસાધનોમાં મોટું કામ કરવા માગે છે. તે દર્શાવે છે કે સખત મહેનત, લગન અને દ્રષ્ટિકોણથી કંઈપણ શક્ય છે. એક નાની શરૂઆતથી જ તેમણે એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું છે. તેમની સફળતા યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરે છે.

Share This Article