આલ્કોહોલ કેન્સરનું કારણ બને છે:,આલ્કોહોલથી સ્વાસ્થ્યને કોઈ પણ રીતે ફાયદો થતો નથી.

Reena Brahmbhatt
2 Min Read

દારૂ પીવાની ટેવ હોય તો જાણી લો, માત્ર લિવર ખરાબ નહીં થાય આ 6 કેન્સરને પણ આપશો આમંત્રણ
આલ્કોહોલથી સ્વાસ્થ્યને કોઈ પણ રીતે ફાયદો થતો નથી. જો કે, લોકો ચોક્કસપણે તેને તેમની ચિંતાઓ અને સમસ્યાઓ માટે દવા માને છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતો ક્યારેય તણાવને નિયંત્રિત કરવા માટે તેને પીવાની ભલામણ કરતા નથી. મોટાભાગના લોકો આલ્કોહોલ પીવાના ગેરફાયદા વિશે જ જાણે છે કે તેનાથી લીવરને નુકસાન થાય છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, આલ્કોહોલનું નિયમિત અને વધુ પડતું સેવન કેન્સરનું જોખમ વધારે છે. અહીં તમે જાણી શકશો આલ્કોહોલથી થતા 6 કેન્સર વિશે-

Drink driving

- Advertisement -

દારૂ મોઢાના કેન્સરના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટડી જણાવે છે કે જે લોકો દારૂનું સેવન કરે છે, તેમાં આ પ્રકારનો ખતરો ખુબ વધી જાય છે. આ કેન્સર હોંઠ, ગાલ અને જીભ પર વિકસિત થઈ શકે છે.

આલ્કોહોલ પણ ગળાના કેન્સર માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે. આ કેન્સર ગળાના જુદા જુદા ભાગોને અસર કરી શકે છે, જેમ કે લાળ ગ્રંથીઓ અને વોકલ કોર્ડ. આલ્કોહોલના સેવનથી ગળાના કોષો વધુ સંવેદનશીલ બની જાય છે, જેનાથી કેન્સરનું જોખમ વધી જાય છે.

- Advertisement -

દારૂનું સેવન ભોજનની નળીના કેન્સર સાથે પણ જોડાયેલું છે. સ્ટડીમાં જોવા મળ્યું કે જે લોકો નિયમિતરૂપે દારૂ પીવે છે, તેમાં ભોજનની નળીના કેન્સરનો ખતરો પણ વધુ રહે છે.

આલ્કોહોલનું સેવન મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ નિયમિતપણે આલ્કોહોલનું સેવન કરે છે તેમને આ પ્રકારનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે.

- Advertisement -

લિવર કેન્સર દારૂના વધુ સેવન સાથે જોડાયેલું છે. લાંબા સમય સુધી દારૂ પીવાથી લિવરમાં સોજા અને અન્ય સમસ્યાઓ ઉભી થાય છે. જે કેન્સરનું કારણ બની શકે છે.

આલ્કોહોલનું સેવન કોલોરેક્ટલ કેન્સરના વિકાસમાં પણ ફાળો આપી શકે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમને આંતરડાના કેન્સરનું જોખમ વધી જાય છે.

Share This Article