મુંબઈઃ ઈતિહાસના પાનામાં 30મી સપ્ટેમ્બરઃ લાતુર 40 સેકન્ડમાં તબાહ થઈ ગયું

Reena Brahmbhatt
1 Min Read

30 સપ્ટેમ્બર 1993ની સવારે લગભગ 3.56 મિનિટે કુદરતી આફત આવી.

મુંબઈ 30 સપ્ટેમ્બર 1993ની સવારે લગભગ 3.56 મિનિટે કુદરતી આફત આવી. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 40 સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપને કારણે લગભગ 10,000 લોકો તત્કાળ મૃત્યુ પામ્યા હતા. લગભગ 30,000 લોકો ઘાયલ થયા હતા. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે લગભગ આખું લાતુર તબાહ થઈ ગયું હતું. ભૂકંપમાં 52 ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને લગભગ 2 લાખ મકાનો ધરાશાયી થયા હતા. શહેરના દરેક વિસ્તારમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા હતા. ભૂકંપની સૌથી વધુ અસર લાતુરના ઔસા બ્લોક અને ઉસ્માનાબાદ જિલ્લામાં જોવા મળી હતી. આ ભૂકંપનું કેન્દ્ર કિલારી નામની જગ્યાએ જમીનથી 12 કિલોમીટર નીચે હતું. જ્યારે આ ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું હતું.

- Advertisement -

latur earthquake

Share This Article