Post Office Time Deposit Scheme: ભારતમાં ઘણા લોકો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણ કરે છે. પોસ્ટ ઓફિસની આ બચત યોજનાઓ સુરક્ષિત રોકાણના વિકલ્પોમાં આવે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનું નામ ‘પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ’ છે.
આ બચત યોજના તે રોકાણકારો માટે એક ભરોસાપાત્ર વિકલ્પ છે, જેઓ જોખમથી દૂર રહીને એક નિશ્ચિત રિટર્ન મેળવવા માંગે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ યોજના સંપૂર્ણપણે સરકાર દ્વારા સમર્થિત છે. આ કારણે તેમાં રોકાણ કરવામાં આવેલ પૈસા સુરક્ષિત રહે છે.
આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમે અલગ-અલગ સમયગાળા માટે પોતાનું ખાતું ખોલી શકો છો. આ ઉપરાંત દરેક સમયગાળા પર વ્યાજ દર પણ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં વ્યાજ દરો રોકાણના સમયગાળા અનુસાર નક્કી થાય છે. ૧ વર્ષના રોકાણ પર ૬.૯ ટકા, ૨ વર્ષના રોકાણ પર ૭ ટકા, ૩ વર્ષના રોકાણ પર ૭.૧ ટકા અને ૫ વર્ષના સમયગાળા માટે વાર્ષિક ૭.૫ ટકા વ્યાજ મળે છે. ખાસ કરીને ૫ વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમ તે લોકોને આકર્ષે છે જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરીને તેના પર સારું રિટર્ન મેળવવા માંગે છે.
જો કોઈ રોકાણકાર ૫ વર્ષ માટે ૪.૫ લાખ રૂપિયાનું રોકાણ આ સ્કીમમાં કરે છે, તો ૭.૫ ટકાના વ્યાજ દર મુજબ મેચ્યોરિટી પર તેને કુલ ૬,૫૨,૪૭૭ રૂપિયા મળશે. આમાંથી આશરે ૨,૦૨,૪૭૭ રૂપિયા માત્ર વ્યાજ તરીકે હશે.
તમે કોઈપણ જોખમ વગર આ સ્કીમમાં રોકાણ કરીને ૨ લાખ રૂપિયાથી વધુ વ્યાજ તરીકે કમાઈ શકો છો. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમને ઇન્કમ ટેક્સના સેક્શન 80C અંતર્ગત ટેક્સમાં છૂટ પણ આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં તમે સિંગલ અને જોઈન્ટ બંને રીતે પોતાનું ખાતું ખોલાવી શકો છો. યોજનામાં તમે ન્યૂનતમ (ઓછામાં ઓછા) ૧ હજાર રૂપિયા રોકાણ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણ રાશિની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે તમે જેટલું વધુ રોકાણ કરશો એટલું સારું રિટર્ન મળશે.

