Airtel Network Slicing Investigation: એરટેલની VIP નેટવર્ક સર્વિસ મુકાઈ તપાસના દાયરામાં, પ્રીપેડ ગ્રાહકો સાથે અન્યાયના આક્ષેપ વચ્ચે સરકાર અને TRAI એક્શનમાં

Arati Parmar
3 Min Read

Airtel Network Slicing Investigation: કેન્દ્ર સરકાર અને ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ ( TRAI ) એ ભારતી એરટેલની એક નવી સર્વિસની તપાસ શરૂ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે તેની આ સર્વિસ પોસ્ટપેડ ગ્રાહકોને સારા નેટવર્કની સુવિધા આપશે. આનો મતલબ છે કે પોસ્ટપેડ યુઝર્સને સારું નેટવર્ક (VIP નેટવર્ક) મળશે. રિપોર્ટના અનુસાર, હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ એ તપાસ કરી રહ્યા છે કે શું એરટેલની આ નવી સર્વિસ નેટ ન્યુટ્રાલિટીના નિયમોનું પાલન કરે છે કે નહીં.

અધિકારીઓએ શરૂ કરી તપાસ

રિપોર્ટ અનુસાર, એરટેલની આ સર્વિસની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું લોકપ્રિય ટેલિકોમ કંપની એરટેલની આ સર્વિસ નેટ ન્યુટ્રાલિટીના નિયમોનું પાલન કરે છે. સાથે જ, અધિકારીઓ એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે પોસ્ટપેડ ગ્રાહકોને આપવામાં આવેલી પ્રાથમિકતાના કારણે પ્રીપેડ ગ્રાહકોની સર્વિસની ક્વોલિટીમાં તો કોઈ ઘટાડો નથી આવ્યો ને. રિપોર્ટનું માનીએ તો એક જાણકારે જણાવ્યું છે કે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ સર્વિસના સંબંધમાં અધિકારીઓની સાથે પહેલા જ એક બેઠક કરી ચૂક્યા છે. તેમણે આગળ કહ્યું કે નિયામક આ સર્વિસની ઊંડાઈથી તપાસ કરશે અને કંપનીને કોઈ પણ ટેકનિકલ માહિતી આપવા માટે કહેવામાં આવી શકે છે.

એરટેલને આપવામાં આવી શકે છે આ નિર્દેશ

  • રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Airtel ને કહેવામાં આવી શકે છે કે તે એ જુએ કે નવી સર્વિસ પાછળની ટેક્નોલોજીને બેહતર રીતે સમજવા માટે નેટવર્કનું સ્લાઇસિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે.

  • કંપનીએ મંગળવારે આ નવી સર્વિસની જાહેરાત કરી અને દાવો કર્યો કે આ સ્ટેન્ડઅલોન 5G આર્કિટેક્ચર દ્વારા આપવામાં આવતી નેટવર્ક સ્લાઇસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોસ્ટપેડ યુઝર્સને સારું અને વધારે સ્થિર નેટવર્ક આપશે.

  • આને કંપની અત્યારે આખા ભારતમાં લાગુ કરી રહી છે. આનાથી જોડાયેલા લોકોએ જણાવ્યું કે એરટેલે અઠવાડિયા સુધી કરેલા કડક ટેસ્ટિંગથી ખબર પડી છે કે 5G સ્લાઇસિંગ ટેક્નોલોજી તમામ યુઝર્સ એટલે કે પ્રીપેડ અને પોસ્ટપેડના નેટવર્ક એક્સપિરિયન્સને સારું બનાવી શકે છે.

  • તે વ્યક્તિએ કહ્યું કે ભીડભાડ વાળા વિસ્તારોમાં તમામ પોસ્ટપેડ પ્લાન વાળા લોકોને સ્થિર કનેક્શન મળતું રહેશે… પરંતુ બાકી તમામનો અનુભવ એવો જ રહેશે જેવો પહેલા હતો.

એરટેલે કેમ લોન્ચ કરી આ સર્વિસ?

  • કોઈ પણ નિયમના અભાવમાં Airtel એ ‘સ્લાઇસિંગ’ ટેકનિકનો ઉપયોગ કરતા એક નવી પ્રાયોરિટી સર્વિસ શરૂ કરી છે, જેના હેઠળ નેટવર્કનો એક હિસ્સો પોસ્ટપેડ ગ્રાહકો માટે અલગથી આપવામાં આવ્યો છે.

  • નિષ્ણાતોનું કહેવું છે કે જેઓ પોસ્ટપેડ ગ્રાહક છે તેઓ ઘણા વધારે પૈસા આપે છે. તેથી કંપની આ કદમ પોતાની આવક વધારવા માટે કરી રહી છે.

  • નિષ્ણાતોએ આગળ જણાવ્યું કે આ નવી સર્વિસના માધ્યમથી, Airtel નો ધ્યેય વધારેમાં વધારે પ્રીપેડ ગ્રાહકોને પોસ્ટપેડ તરફ આકર્ષિત કરવાનો છે.

આ પણ વાંચો: Kodak Matrix QLED TV: કોડેકે ભારતમાં ધમાકેદાર કિંમતે લોન્ચ કરી નવી ટીવી સિરીઝ, માત્ર ₹૧૦,૯૯૯ની શરૂઆતી કિંમતે ઘરે લાવો Kodak Matrix QLED સ્માર્ટ ટીવી – Newz Cafe

- Advertisement -
Share This Article