Pakistan President Asif Zardari: સિંધુ સંધિ પર પાકિસ્તાને ફરી આપી ભારતને ગીધડભભકી, આસિફ ઝરદારીએ ખાધી મોટી કસમ, કાઢ્યો ગુસ્સો

Arati Parmar
4 Min Read
Pakistan President Asif Zardari

Pakistan President Asif Zardari: સિંધુ જળ સંધિ (IWT) ના મુદ્દે પાકિસ્તાન તરફથી ફરી એકવાર ભડકાઉ નિવેદનબાજી કરવામાં આવી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને ગીધડભભકી આપતા કહ્યું કે તેમની સરકાર અને સેના IWT હેઠળ જળ અધિકારોની રક્ષા માટે તમામ પગલાં લેશે. ઝરદારીએ રવિવારે આ વાત ભારત સાથે વીતેલા વર્ષે થયેલા ચાર દિવસના સૈન્ય સંઘર્ષનું એક વર્ષ પૂર્ણ થવા પર કહી છે. ભારતે એપ્રિલ, 2025 માં પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ સંધિને સ્થગિત કરી દીધી હતી.

આસિફ ઝરદારીએ આરોપ લગાવ્યો કે ભારતનો સિંધુ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય સંપૂર્ણપણે ગેરકાયદે છે. ભારત આ સંધિથી હટીને પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ઝરદારીએ દાવો કર્યો કે ભારત આ સંધિને સ્થગિત કરી શકતું નથી કારણ કે તેની શરતોમાં એકતરફી સ્થગિત કરવાનો કોઈ કાયદાકીય જોગવાઈ નથી. ભારતે આ મુદ્દે કોઈ છૂટછાટ આપવાનો સંકેત હજુ સુધી આપ્યો નથી.

- Advertisement -

‘પાણી પર સોદાબાજી નહીં’

  • આસિફ ઝરદારીએ પોતાના ભાષણમાં કહ્યું કે પાણી સોદાબાજીનું માધ્યમ નથી. ભારતે આ ન કરવું જોઈએ.

  • સાથે જ ભારતે એ સમજવું જોઈએ કે પાકિસ્તાન પોતાના જળ અધિકારોની રક્ષા પૂરા દ્રઢ સંકલ્પ સાથે કરશે.

  • આ અમારા લાખો લોકોના જીવનનો સવાલ છે અને અમે તેને છોડી શકતા નથી.

  • ઝરદારીએ આ દરમિયાન ઈરાન-અમેરિકામાં મધ્યસ્થતા માટે પાકિસ્તાનની જોરદાર બડાશ હાંકી છે.

  • ઝરદારીએ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના તાજેતરના મધ્યસ્થતાના પ્રયાસથી તેની ઓળખ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપનારા દેશ તરીકે બની છે. જોકે પાકિસ્તાન બંને દેશોમાં શાંતિ સ્થાપિત કરાવી શક્યું નથી.

ભારતનો સિંધુ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય સંપૂર્ણપણે ગેરકાયદે છે. 1960 માં હસ્તાક્ષરિત આ સંધિની વિશ્વ બેંકે મધ્યસ્થતા કરી હતી અને તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ એક પક્ષ આનાથી હટી શકે નહીં. ભારત આવું કરીને પાણીને સોદાબાજીનું માધ્યમ બનાવી રહ્યું છે. આસિફ અલી ઝરદારી

1960 માં થઈ હતી જળ સંધિ

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ વર્ષ 1960 માં થઈ હતી.

  • આ સંધિમાં વિશ્વ બેંકે મધ્યસ્થતા કરી હતી, જે બંને દેશોમાં સિંધુ નદી પ્રણાલીથી પાણીની વહેંચણી કરે છે.

  • આ સમજૂતીમાં પશ્ચિમી નદીઓ (સિંધુ, જેલમ અને ચિનાબ) નું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું છે.

  • સિંધુ જળ સંધિમાં ત્રણ પૂર્વી નદીઓ (રાવી, બિયાસ અને સતલુજ) ભારતને મળી છે.

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, જે સાત દાયકાથી વધુ સમયથી ચાલતી હતી. ભારતે આ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં લીધાં. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નિશાન પણ બનાવ્યા હતા. ત્યારથી બંને દેશોમાં તણાવ છે.

UNSC માં સિંધુ સંધિનો મુદ્દો

  • પાકિસ્તાન તરફથી સિંધુ જળ સંધિને સતત આંતરરાષ્ટ્રીય વિવાદનું સ્વરૂપ આપવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે.

  • પાકિસ્તાન સરકાર આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં લઈ ગઈ છે. પાકિસ્તાનનું કહેવું છે કે દુનિયાએ આ મુદ્દે ભારત પર દબાણ લાવવું જોઈએ.

  • પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે કહ્યું છે કે વધતી ગરમી વચ્ચે ભારત દ્વારા પાણી રોકવું તેની મુશ્કેલી વધારી દે છે.

  • પાકિસ્તાનનું કહેવું છે કે જો ભારત તેની તરફ આવતી નદીઓના પાણીને રોકે છે તો મોટી પાકિસ્તાની વસ્તી સામે ખાદ્ય સુરક્ષાનું સંકટ ઊભું થઈ જશે.

આ પણ વાંચો: Putin on Us Iran Conflict: ‘અમેરિકા-ઈરાન સંઘર્ષ અત્યંત જટિલ’, પુતિન બોલ્યા- આ યુદ્ધે અમને મુશ્કેલીમાં મૂક્યા, પરમાણુ કાર્યક્રમ પર તેહરાનના વલણનું સમર્થન – Newz Cafe

- Advertisement -
Share This Article