મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂઃ શું અજિત પવારના પક્ષના ચાર નેતા શરદ પવાર ખેંચી જશે ?

Reena Brahmbhatt
2 Min Read

મુંબઇ : મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં અજિત પવારને (Ajit Pawar)મોટો આંચકો લાગ્યો છે. તેમની પાર્ટી NCPના પિંપરી-ચિંચવડ વિસ્તારના ચાર મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ શરદ પવારના જૂથમાં જોડાય તેવી શક્યતા છે. NCPના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવાહાને, NCP પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે મહાયુતિમાં NCP માટે ભોસરી વિધાનસભા બેઠક મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ગવાહાનેએ રાજીનામું આપ્યું હતું.

Tgj8KggQ ajit pawar

- Advertisement -

એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢ મળી હતી

લોકસભા ચૂંટણીમાં, મહા વિકાસ આઘાડી (MVA) એ 48 માંથી 30 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને આંચકો આપ્યો હતો. અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢ મળી હતી જ્યારે શરદ પવારના જૂથને આઠ બેઠકો મળી હતી.

- Advertisement -

અજિત પવાર કેમ્પના કેટલાક નેતાઓ શરદ પવાર કેમ્પમાં પાછા જવા આતુર છે તેવી ચર્ચા વચ્ચે રાજીનામા આવ્યા છે. તાજેતરમાં શરદ પવારે એવો પણ દાવો કર્યો હતો કે એનસીપીથી અલગ થયેલા કેટલાક ધારાસભ્યો પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટીલને મળ્યા હતા.

ભુજબલ પણ શરદ પવાર સાથે હાથ મિલાવી શકે છે

- Advertisement -

એવી અટકળો પણ ચાલી રહી છે કે મહારાષ્ટ્રના મંત્રી અને NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબલ અજિત પવારને છોડી શકે છે. ગયા મહિને મહાવિકાસ અઘાડીના સાથી દળ શિવસેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા ભુજબળને મળ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભુજબળ એ વાતથી નારાજ હતા કે અજિત પવારે બારામતી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુલે સામે હાર્યા બાદ તેમની પત્ની સુનેત્રાને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા હતા. પ્રભાવશાળી ઓબીસી નેતા ભુજબળ રાજ્યસભાની બેઠક અને પછી કેન્દ્રીય મંત્રી પદ માટે પ્રયાસ કરી રહ્યા હતા

Share This Article