ગુજરાતના જૂનાગઢ જિલ્લાના રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેક પર લોકો પાયલટની સતર્કતાને કારણે સિંહનો જીવ બચી ગયો.

અહેવાલ મુજબ મામલો એવો છે કે ગઈકાલે રાત્રે રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પરથી સિંહ પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે ત્યાંથી એક માલગાડી પસાર થવાની હતી. જ્યારે ટ્રેનના લોકો પાયલટે જંગલી પ્રાણીને ટ્રેક પર જોયુ તો તેણે તરત જ સતર્કતાથી ટ્રેનની ઈમરજન્સી બ્રેક લગાવી દીધી. સિંઘથી થોડે દૂર ગાડી ઊભી રહી. સિંહ ટ્રેકમાંથી સુરક્ષિત રીતે પસાર થયા અને તેમનો જીવ બચી ગયો.
લોકો પાયલોટે પાછળથી રાજુલા સ્ટેશન માસ્ટર સાથે વાત કરી અને તેમની મંજૂરી પછી, લગભગ 10 મિનિટ સુધી માલ ટ્રેનને રોકી અને પછી આગળ વધી. આપને જણાવી દઈએ કે તાજેતરમાં રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેક પર આવી જ રીતે એક સિંહનું મોત થયું હતું. ત્યારે હાઇકોર્ટ દ્વારા રેલવે અને વન વિભાગને ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ ટ્રેક પર ટ્રેન ચાલકો વન્ય પ્રાણીઓની હાજરી અંગે હંમેશા સતર્ક બની ગયા છે.
