સુરતઃ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ રંગભેદી નિવેદન આપી દેશના નાગરિકોનું અપમાન કર્યુંઃ સી.આર.પાટીલ

Reena Brahmbhatt
2 Min Read

ભાજપ કોંગ્રેસના નાપાક ઈરાદાઓને સફળ થવા દેશે નહીં અને કોંગ્રેસે અખંડ ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ ન કરવો જોઈએઃ સી.આર.પાટીલ

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ પૂર્વી રાજ્યોના લોકોને ચીન અને દક્ષિણ ભારતીયોની સરખામણી આફ્રિકા સાથે કરી હતી અને સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિંદા કરી હતી

- Advertisement -

2 sp

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે કોંગ્રેસના નેતા સામ પિત્રોડા તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે, તેમણે ફરી એકવાર ભારતના ભાગલા પાડતું નિવેદન આપીને નવો વિવાદ સર્જ્યો છે.

- Advertisement -

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે રંગના આધારે વિસ્તારને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે ચૂંટણી દરમિયાન આવા નિવેદનો કરીને લોકશાહીની પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ અને તેના નેતાઓની આ ભાગલા પાડો અને રાજ કરોની માનસિકતા આજે ફરીથી જનતા સમક્ષ ખુલ્લી પડી છે. આ નિવેદન લોકોમાં ભાગલા પાડીને કોંગ્રેસને ફાયદો કરાવવાના મલિન ઈરાદાથી છે, જેનાથી લોકોની લાગણી દુભાઈ છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ આવા શબ્દોનો ઉપયોગ દેશની જનતા અને ભાજપના નેતાઓને પણ અપમાનિત કરવાના પ્રયાસમાં કર્યો છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાવાલા, ચોકીદાર ચોર બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આજે તેમણે દેશના નાગરિકોને રંગના આધારે વિભાજિત કરીને અખંડ ભારત સામે મોટો પ્રશ્ન ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે.

સુરત શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરાની અધ્યક્ષતામાં ગુરુવારે સાંજે સુરત શહેરના વિવેકાનંદ સર્કલ ખાતે ભાજપના કાર્યકરોએ સામ પિત્રોડાના પૂતળાનું દહન કરી વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ અને ભાજપના કાઉન્સિલરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
Share This Article