Braj Holi 2026: શું બિન-હિન્દુઓ મથુરા-વૃંદાવનની લઠ્ઠમાર હોળીમાં ભાગ લઈ શકે? જાણો બીજા ધર્મના લોકો માટે શું કહે છે ભારતનો કાયદો?

Arati Parmar
3 Min Read

Braj Holi 2026: હોળીનો માહોલ હોય અને મથુરા-વૃંદાવનની વાત ન થાય, એવું તો બની જ ન શકે. આમ તો હોળીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવે છે, પરંતુ બ્રજ ક્ષેત્રમાં આ તહેવાર ૪૦ દિવસ સુધી મનાવવામાં આવે છે. અહીં વસંત પંચમીથી જ હોળી પર્વની શરૂઆત થઈ જાય છે, જે હોળી સુધી રંગો રમવાની પરંપરા તરીકે ચાલી આવે છે. અહીં રમાતી લડ્ડુમાર હોળી, લઠ્ઠમાર હોળી, ફૂલો વાળી હોળી, હુરંગા વગેરે માત્ર આપણા દેશમાં જ નહીં, પણ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે બ્રજની હોળીમાં કોણ નથી જઈ શકતું અને બીજા ધર્મના લોકો માટે ભારતનો કાયદો શું કહે છે?

હિન્દુ ધર્મમાં હોળીનું ધાર્મિક મહત્વ

આ મૂળભૂત રીતે એક ધાર્મિક તહેવાર છે અને તેને મનાવનારા હિન્દુઓ માને છે કે તે દિવસે અસુરોનો નાશ દેવતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ તેમના ધર્મનો એક ભાગ છે, જે પૌરાણિક કથાઓ અને મૂર્તિ પૂજા પર આધારિત છે. રંગોથી રમવા, નાચવા-ગાવા સાથે મીઠાઈઓ વહેંચવામાં આવે છે અને લોકો એકબીજાને “હેપ્પી હોળી” કહીને શુભેચ્છા પાઠવે છે.

- Advertisement -

બ્રજની હોળી ૨૦૨૬ (Braj Holi 2026 Calendar)

બ્રજની હોળી ૪૦ દિવસ સુધી ચાલે છે, પરંતુ તેમાં કેટલાક મુખ્ય આયોજનો આ મુજબ છે:

  • ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬: બરસાનામાં લડ્ડુ માર હોળી રમાશે. રાધારાણી મંદિરમાં ભક્તો એકબીજા પર લાડુ ફેંકીને હોળી ઉજવે છે.

  • ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬: બરસાનામાં લઠ્ઠમાર હોળી રમાશે. જેમાં પરિણીત મહિલાઓ લાકડી (લાઠી) વડે પુરુષોને મારે છે.

  • ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬: નંદગાંવમાં લઠ્ઠમાર હોળી રમાશે.

  • ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬: વૃંદાવનમાં ફૂલોની હોળી મનાવવામાં આવશે.

  • ૧ માર્ચ, ૨૦૨૬: ગોકુલમાં છડી-માર હોળી મનાવવામાં આવશે.

  • ૨ માર્ચ, ૨૦૨૬: ગોકુલના રમણ રેતીમાં હોળી ઉત્સવ થશે.

  • ૩ માર્ચ, ૨૦૨૬: હોલિકા દહન થશે. મથુરા અને વૃંદાવનમાં આ દિવસે ઉજવણી થશે.

  • ૪ માર્ચ, ૨૦૨૬: રંગવાળી હોળી એટલે કે ધુળેટી આખા દેશ સહિત બ્રજમાં પણ રમાશે.

બંધારણ શું કહે છે?

ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. અનુચ્છેદ ૧૪ સમાનતાનો અધિકાર સુનિશ્ચિત કરે છે, એટલે કે ધર્મના આધારે ભેદભાવ ન કરી શકાય. વળી, અનુચ્છેદ ૧૫ સ્પષ્ટ કહે છે કે રાજ્ય કોઈપણ નાગરિક સાથે ધર્મ, જાતિ, લિંગ કે જન્મ સ્થાનના આધારે ભેદભાવ કરશે નહીં. આનો સીધો અર્થ એ છે કે કોઈપણ જાહેર આયોજનમાં માત્ર ધર્મના આધારે કોઈને આવતા રોકી શકાય નહીં. આથી એ વાત સ્પષ્ટ છે કે કોઈપણ ધર્મની વ્યક્તિ હોળી-દિવાળી કે અન્ય તહેવારો મનાવી શકે છે અને બ્રજની હોળીનો આનંદ લઈ શકે છે.

- Advertisement -
Share This Article