Kishtwar Encounter Security Forces: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે આતંકીઓ માર્યા ગયા છે. રવિવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક અંતરિયાળ વન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે બે શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા સેનાના જવાનોએ ચતરુના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો. તેમણે જણાવ્યું કે વધારાના દળોને ઘેરાયેલા વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
બરફથી ઢંકાયેલા ચતરુ વન વિસ્તારમાં ગયા મહિને આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લગભગ અડધો ડઝન ગોળીબાર થયો હતો, જેમાં એક સૈનિક શહીદ થયો હતો અને એક આતંકવાદી માર્યો ગયો હતો.
વ્હાઇટનાઈટ કોર્પ્સના જવાનોએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં કિશ્તવાડના પાસેરકુટ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ કરી હતી. ગોળીબાર ચાલુ છે. સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો છે તેમ નિવેદનમાં જણાવાયું હતું. ગયા મહિને ચતરુ વન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લગભગ છ અથડામણો થઈ હતી, જેમાં એક સૈનિક શહીદ થયો હતો અને એક આતંકવાદી માર્યો ગયો હતો.

