Retirement Fund Planning: નિવૃત્તિનો પડકાર: ૨૦ વર્ષ પછી શું ₹૧ કરોડનું ફંડ પૂરતું છે? નિષ્ણાતે કહ્યું, ‘મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી નહીં થાય!’

Arati Parmar
4 Min Read

Retirement Fund Planning: નિવૃત્તિ (Retirement) માટે ઘણા લોકો ₹૧ કરોડના ફંડની સલાહ આપતા હોય છે. પરંતુ જો તમે ૨૦ વર્ષ પછી નિવૃત્ત થવાનું આયોજન કરી રહ્યા હો, તો શું આ રકમ પૂરતી છે? એક નિષ્ણાતે સ્પષ્ટપણે ₹૧ કરોડના રિટાયરમેન્ટ ફંડને નાકાફી ગણાવ્યો છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતિન કૌશિકે (Nitin Kaushik) ચેતવણી આપી છે કે મોંઘવારી, વધતા હેલ્થકેર ખર્ચ અને લાઈફસ્ટાઈલમાં અચાનક થતા વધારાને કારણે ₹૧ કરોડની રકમ હવે એટલી મોટી રહી નથી.

નિતિન કૌશિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં લખ્યું: “૨૦ વર્ષ પછી ₹૧ કરોડ તમારી મૂળભૂત જરૂરિયાતોને પણ પૂરી કરી શકશે નહીં. લક્ઝરીની તો વાત જ છોડી દો.”

૧. મોંઘવારી અને ખર્ચમાં વધારો

 

સમયની સાથે મોંઘવારી વધતી જાય છે, તેથી આજે ₹૧ કરોડની જે કિંમત છે, તે ૨૦ વર્ષ પછી નહીં હોય.

  • લાંબા ગાળાની અસર: નિતિન કૌશિકના જણાવ્યા મુજબ, મોંઘવારીની લાંબા સમય સુધી ચાલતી બચત પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

  • મેડિકલ ખર્ચ: તેમણે કહ્યું કે માત્ર મેડિકલ ઇમરજન્સી પર થતો ખર્ચ પણ નાની રકમને ઝડપથી ખતમ કરી શકે છે. આથી, વધુ સારી અને મોટી પ્લાનિંગની જરૂર છે.

૨. નિવૃત્તિ માટે કેટલું હોવું જોઈએ લક્ષ્ય?

 

નિતિન કૌશિકનું કહેવું છે કે જો ૨૦ વર્ષ પછી નિવૃત્તિનો પ્લાન હોય, તો ફંડનું લક્ષ્ય ₹૧૦ કરોડ નું હોવું જોઈએ.

  • નાણાકીય સ્વતંત્રતા: તેમણે કહ્યું કે, “જો તમારી પાસે ₹૫ થી ૭ કરોડ પણ થઈ જાય છે, તો તમને નાણાકીય સ્વતંત્રતા (Financial Freedom), શાંતિ અને એક સારી લાઈફસ્ટાઇલ મળી જશે.”

  • સલાહ: તેમણે અંતમાં લખ્યું કે ₹૧ કરોડના સપનાથી સંતુષ્ટ ન થાઓ. મોટું વિચારો, સમજદારીથી કામ કરો અને એક એવું ભવિષ્ય સુરક્ષિત કરો જ્યાં તમારા પૈસા તમારા માટે કામ કરે, ન કે તમે પૈસા માટે.

૩. રોકાણકારોને નિષ્ણાતની સલાહ

 

મોટું ફંડ બનાવવા માટે નિતિન કૌશિકે નીચે મુજબની સલાહ આપી છે:

  • જલ્દી શરૂઆત: જલ્દી શરૂઆત કરો. કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) તમારો સૌથી સારો મિત્ર છે, કારણ કે તેનાથી તમારા રોકાણ પર મળતું વ્યાજ પણ આગળ ચાલીને વ્યાજ કમાય છે.

  • રોકાણ વધારો: જેમ જેમ તમારી કમાણી વધે, તેમ તેમ તમારા રોકાણને પણ વધારતા રહો.

  • વિવિધતા લાવો: મોંઘવારીને માત આપવા માટે તમારા રોકાણને અલગ-અલગ જગ્યાએ લગાવો. જેમ કે, શેર બજાર, ડેટ (બોન્ડ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ) અને અન્ય સંપત્તિઓમાં.

  • યોજનાનું મહત્ત્વ: નિવૃત્તિની પ્લાનિંગ ફક્ત પૈસાનો હિસાબ-કિતાબ નથી, પરંતુ તે તમારી જીવનશૈલીની સુરક્ષા વિશે છે.

૪. ઇમરજન્સી ફંડ બનાવવું જરૂરી

 

  • ઘણા નિષ્ણાતો સલાહ આપે છે કે નિવૃત્તિની પ્લાનિંગ પહેલાં ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ.

  • આ ફંડ ઓછામાં ઓછું  ૧૦ મહિનાની સેલરી જેટલુ હોવું જોઈએ.

  • ઇમરજન્સી ફંડ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સ પણ જરૂર હોવા જોઈએ. આ પછી જ નિવૃત્તિની પ્લાનિંગ કરીને પૈસાનું રોકાણ કરવું.

Share This Article