English Speaking: ભારતીયોની અંગ્રેજી બોલવાની કુશળતા વૈશ્વિક સરેરાશ કરતા ઘણી સારી છે. અંગ્રેજી બોલવાની ક્ષમતામાં ભારતીયોનો સરેરાશ સ્કોર 57 છે, જે વૈશ્વિક સરેરાશ 54 કરતા વધારે છે. જ્યારે દેશની વાત કરીએ તો દિલ્હી 63ના સરેરાશ સ્કોર સાથે સૌથી આગળ છે. રાજસ્થાન 60ના સ્કોર સાથે બીજા ક્રમે અને પંજાબ 58 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પિયર્સન ગ્લોબલ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી રિપોર્ટ-2024માં આ માહિતી સામે આવી છે. સોમવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારત, ફિલિપાઈન્સ, જાપાન, ઈજિપ્ત અને યુરોપ જેવા દેશોમાં અંગ્રેજી કૌશલ્યના વલણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
પિયર્સનની રિપોર્ટ અંદાજે 7,50,000 વર્સેન્ટ ટેસ્ટના ડેટા પર આધારિત છે. વર્સેન્ટ એ અંગ્રેજી ભાષા મૂલ્યાંકન સાધન છે, જે ઉમેદવારોની અંગ્રેજી ભાષા પ્રવીણતાનું ચોક્કસ અને અસરકારક મૂલ્યાંકન કરે છે. પિયર્સનના આ ટેસ્ટમાં સામાન્ય રીતે વાંચન, પુનરાવર્તન, લઘુત્તર પ્રશ્નો, વાક્ય રચના, વાર્તા પુનરકથન અને ખુલ્લા પ્રશ્નો જેવા છ પ્રકારના ટેસ્ટ હોય છે, જે અંગ્રેજી ભાષાની ક્ષમતા ચોક્કસ રીતે માપે છે. કંપનીઓ તેમના જરુરિયાત અનુસાર યોગ્ય અંગ્રેજી કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને શોધવા માટે આ ટેસ્ટનો ઉપયોગ કરે છે. અંગ્રેજી કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીઓ તેમની સ્પર્ધાત્મકતા વધારી શકે છે અને વિકાસને ગતિ આપી શકે છે. પિયર્સનના ઈંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ ડિવિઝનના અધ્યક્ષ જિઓવાની જિઓવાનેલી મુજબ, આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અંગ્રેજી પ્રવીણતા માત્ર કૌશલ્ય નથી, પણ એક મહત્વપૂર્ણ સંપત્તિ છે.
લેખિતમાં વિશ્વ સ્તરની સમાન
અંગ્રેજી કૌશલ્યમાં ભારતનો સરેરાશ સ્કોર 52 છે, જે વૈશ્વિક સરેરાશ (57) કરતા ઓછો છે. તે જ સમયે, અંગ્રેજી લેખનનો સ્કોર (61) વૈશ્વિક સરેરાશની બરાબર છે. આ સુધારો ડિજિટલ કોમ્યુનિકેશનના વધતા ઉપયોગ અને વૈશ્વિક વેપારમાં લેખિત અંગ્રેજીની વધતી જતી જરૂરિયાતને કારણે થયો છે.
વિત્ત અને બેન્કિંગ ક્ષેત્રનું ભાષણ સ્કોર સૌથી વધુ (63) છે, જે વૈશ્વિક સરેરાશ 56 કરતા ઊંચું છે.
અંગ્રેજીના સંદર્ભમાં હેલ્થકેર સેક્ટરનો સૌથી ઓછો સ્કોર (45) છે. આ કદાચ સેક્ટરના ઝડપી વિસ્તરણ અને વધુ નોકરીઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે છે. ટેક્નોલોજી, કન્સલ્ટિંગ અને બીપીઓ અંગ્રેજી કૌશલ્યમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે.
દેશે અંગ્રેજી કૌશલ્યોમાં મોટી પ્રગતિ કરી છે
ભારતે તાજેતરના વર્ષોમાં અંગ્રેજી કૌશલ્યોમાં, ખાસ કરીને વૉઇસ-આધારિત કસોટીઓમાં ઘણી પ્રગતિ કરી છે. આ પ્રગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે કારણ કે કંપનીઓ વધુ સારી પ્રતિભા ધરાવતા ઉમેદવારોની ભરતી કરવા અને ભૂલો ઘટાડવાનું વિચારે છે.

