H-1B Visa News: H-1B વિઝાના મુસાફરો ભારતમાં અટવાયા! ૨૦૨૬ના અંત સુધી લંબાઈ તારીખો, જાણો શું તમે ભારતથી કરી શકશો અમેરિકાનું કામ?

Arati Parmar
3 Min Read

H-1B Visa News: અમેરિકામાં જોબ માટે H-1B વિઝા મેળવવાની રાહ જોઈ રહેલા ભારતીય વર્કર્સને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. હવે નવા અરજદારો અને વિઝા ટ્રાન્સફર માટે ઈન્ટરવ્યુ અને સ્ટેમ્પિંગની તારીખો, જે પહેલા ૨૦er૬ની શરૂઆતમાં હતી, તેને ખસેડીને ૨૦૨૬ના અંત સુધી (સપ્ટેમ્બર સુધી) કરી દેવામાં આવી છે. આ કારણે હજારો વર્કર્સ ભારતમાં મહિનાઓ સુધી અટવાઈ ગયા છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમનું કરિયર પણ જોખમમાં આવી ગયું છે, કારણ કે કંપનીઓ તેમના માટે મહિનાઓ સુધી રાહ જોવાની નથી.

H-1B વિઝા અમેરિકામાં જોબ કરવા માટે મળે છે. પરંતુ હવે આ એક એવો વિઝા બનતો જઈ રહ્યો છે, જેના કારણે વર્કર્સને પોતાની મેળે જ અમેરિકાથી દૂર રહીને જોબ કરવી પડી શકે છે. જે પણ લોકોએ જાન્યુઆરી ૨૦૨૬માં વિઝા ઈન્ટરવ્યુ કે સ્ટેમ્પિંગ માટે જવાનું હતું, તેમના માટે તારીખો છ મહિનાથી પણ વધુ આગળ વધી ચૂકી છે. આવા સંજોગોમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં ફસાયેલા વર્કર્સ અમેરિકન કંપની માટે અહીંથી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે? ચાલો તેનો જવાબ જાણીએ.

- Advertisement -

શું વર્ક ફ્રોમ હોમ કરી શકે છે H-1B વર્કર્સ?

ભારતમાં ફસાયેલા વર્કર્સની બે કેટેગરી છે, જેમાંથી પહેલી તે લોકોની છે, જેમને કંપનીએ સ્પોન્સર કરી દીધા છે અને હવે બસ તેમને અમેરિકન દૂતાવાસ જઈને ઈન્ટરવ્યુ આપવાનો છે. આ પછી તેમને અમેરિકામાં જોબ માટે H-1B વિઝા મળી જશે. તેવી જ રીતે બીજી કેટેગરી તે લોકોની છે, જેમને પહેલા જ વિઝા મળી ચૂક્યા છે, પરંતુ હવે તેમને અમેરિકા જવા માટે વિઝા સ્ટેમ્પિંગ કરાવવાની જરૂર છે. બંને કેટેગરીના લોકો માટે વિઝા એપોઈન્ટમેન્ટની તારીખો આગળ વધી છે.

ઇમિગ્રેશન વકીલ રાજીવ ખન્નાએ કહ્યું, ‘ભારતમાં H-1Bની જાન્યુઆરીની વિઝા એપોઈન્ટમેન્ટ તારીખોને આગળ વધારીને સપ્ટેમ્બરમાં કરી દેવામાં આવી છે.’ આ બેકલોગને કારણે પહેલીવાર વિઝા અરજી કરનારા વર્કર્સ તો પરેશાન થઈ જ રહ્યા છે, સાથે જ રિન્યુઅલવાળા અરજદારો પણ ટેન્શનમાં છે. વિઝા એપોઈન્ટમેન્ટની વધેલી તારીખોને કારણે લોકોની જોઈનિંગ ડેટ (જોડાવાની તારીખ) બદલાઈ રહી છે. કોઈનો ટ્રાવેલ પ્લાન બદલાઈ રહ્યો છે, તો કોઈ જોબ બદલવાની પણ તૈયારીમાં લાગી ગયું છે. આનાથી અમેરિકન કંપનીઓ પણ પરેશાન છે.

- Advertisement -

આ જ કારણ છે કે કેટલાક અરજદારોએ પૂછ્યું છે કે શું તેઓ ભારતમાં રાહ જોતી વખતે કાયદેસર રીતે કામ ચાલુ રાખી શકે છે. તેના જવાબમાં રાજીવ ખન્નાએ કહ્યું, ‘મને પૂછવામાં આવતા મુખ્ય સવાલોમાંનો એક એ છે કે શું અમે ભારતમાં રહીને કામ કરી શકીએ છીએ? તેનો જવાબ છે હા.’ તેમણે રિમોટ વર્ક કરતી વખતે વર્કર્સને સ્થાનિક ટેક્સ નિયમોનું પાલન કરવાની સલાહ આપી.

Share This Article