જ્યારે ઐશ્વર્યા રાયે મૌન તોડ્યુંઃ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બોલિવૂડના શ્રેષ્ઠ કપલમાંથી એક હતા. 90ના દાયકામાં સલમાન અને ઐશ્વર્યાને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. આ બંને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ બાદ હેડલાઈન્સનો હિસ્સો બન્યા હતા. હમ દિલ દે ચૂકે સનમ પછી બંનેએ હમ તુમ્હારે હૈ સનમમાં કામ કર્યું હતું. જેમાં બંનેએ ખાસ હાજરી આપી હતી. આ ફિલ્મ પછી તેમનો રિયલ લાઈફમાં પણ રોમાન્સ શરૂ થયો હતો. જો કે, એક સમયે તેમના સંબંધોમાં ખૂબ જ ખરાબ વળાંક આવ્યો. તેમના બ્રેકઅપના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા હતા.
ઐશ્વર્યા અને સલમાનના બ્રેકઅપની વચ્ચે તેમના ગુપ્ત લગ્નના સમાચાર આવવા લાગ્યા હતા. એવી અફવા હતી કે બંનેએ સિક્રેટ વેડિંગ કર્યું હતું અને તેઓ હનીમૂન માટે ન્યૂયોર્ક પણ ગયા હતા. ગુપ્ત લગ્નના સમાચાર પર ઐશ્વર્યાએ ફરી મૌન સેવી લીધું.
ઐશ્વર્યાએ પોતાનું મૌન તોડ્યું
ફર્સ્ટપોસ્ટના રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યાએ કહ્યું હતું- ‘જો આવું થશે તો શું આખી ઈન્ડસ્ટ્રીને તેની જાણ નહીં થાય? આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ નાની છે, ઉપરાંત મારી માતાના અકસ્માત બાદ મને મારા પરિવાર સાથે વિતાવવાનો સમય પણ નથી મળ્યો. હું એવી વ્યક્તિ નથી કે જે લગ્ન જેવી મોટી વસ્તુને નકારે.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા વિશેની અફવાઓ અહીં અટકી નથી. એવું કહેવાય છે કે ઐશ્વર્યા એક સમયે સલમાન ખાન અને વિવેક ઓબેરોયને ડેટ કરતી હતી. ઐશ્વર્યાએ આ સમાચારો પર વધુ પ્રતિક્રિયા આપી નથી.
સલમાન સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યા તેના જીવનમાં આગળ વધી ગઈ હતી. તેણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. ઐશ્વર્યા અને અભિષેકને એક પુત્રી આરાધ્યા પણ છે. રિપોર્ટ્સનું માનીએ તો હવે આ કપલ વચ્ચે બધુ બરાબર નથી. રિપોર્ટ્સનું માનીએ તો અભિષેક અને ઐશ્વર્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.

