Indian Forces Strike Terror Camps in Pakistan and PoK : ઓપરેશન સિંદૂર: ભારતનો કડક પ્રહાર, 90થી વધુ આતંકીઓ ખતમ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Indian Forces Strike Terror Camps in Pakistan and PoK : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. જાણો તમામ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ

90થી વધુ આતંકીઓનો સફાયો

- Advertisement -

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 90 થી વધુ આતંકીઓનો સફાયો થઇ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરદીકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં ઘૂસી બહાદુર સેના

- Advertisement -

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’.

મિસાઇલથી હુમલો

- Advertisement -

ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.

ભારતના ત્રણ લોકોના નિધન

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના નિધન થયાની પુષ્ટિ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે.

ટ્રમ્પનું નિવેદન

એરસ્ટ્રાઈક બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે, કે ‘આશા છે કે આ જલ્દી સમાપ્ત થશે. હું ઓફિસથી અંદર આવી રહ્યો હતો અને હાલ જ આ સમાચાર મને મળ્યા. મને તો લાગે છે કે કંઈક થવાનું છે તેવો અંદાજ પહેલેથી જ હતો.

ઉડાનો રદ

એરઈન્ડિયાએ ચંડીગઢ, જમ્મુ, લેહ, શ્રીનગર, જામનગર, રાજકોટ, ભુજ, જોધપુર, અમૃતસ્ત, જમ્મુની બપોર 12 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરી.

આતંકીઓના ઠેકાણા તબાહ

પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.

Share This Article