Vasant Panchami Saraswati Puja: માં સરસ્વતીનું અવતરણ અને વસંત પંચમી: જાણો કેવી રીતે બ્રહ્માજીના કમંડળના જળથી પ્રગટ્યા વિદ્યાની દેવી અને કોણે કરી હતી સૌથી પહેલી પૂજા

Arati Parmar
3 Min Read

Vasant Panchami Saraswati Puja: વસંત પંચમીનો તહેવાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ મનાવવામાં આવે છે. વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજા ઉપાસના કરવાનો વિધાન છે. જ્ઞાન, સંગીત, વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીની આરાધના કરવાથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરી સરસ્વતી માતાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. વસંત પંચમીથી તમામ શુભ કાર્યો કરવાની શરૂઆત થઈ જાય છે. વિદ્યારંભ, નવીન વિદ્યા માટે શરૂઆત અને ગૃહ પ્રવેશ માટે વસંત પંચમીને અતિ શુભ પર્વ માનવામાં આવે છે. સરસ્વતી પૂજનનો ઉદ્દેશ્ય છે કે જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ શકે. આજની આ કડીમાં આપણે જાણીશું કે માં સરસ્વતીનું અવતરણ કેવી રીતે થયું અને કોણે સૌથી પહેલા માં સરસ્વતીની પૂજા કરી.

દેવી સરસ્વતીના અવતરણની કથા

સૃષ્ટિની શરૂઆત જ થઈ હતી કે ભગવાન વિષ્ણુની આજ્ઞા પામીને ભગવાન બ્રહ્માએ મનુષ્ય સહિત તમામ જીવોની રચના કરી. જોકે પોતાની સર્જનાથી તેઓ પૂરી રીતે સંતુષ્ટ થઈ શકતા નહોતા. તેમને આભાસ થયો કે ચારે બાજુ મૌન જ મૌન છે. પછી તેમણે વિષ્ણુજીની અનુમતિથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી થોડું જળ છાંટ્યું અને જેનાથી એક કંપન થયું અને પછી એક ચતુર્ભુજી દેવીનું અવતરણ થયું. દેવીમાં અદભૂત શક્તિ હતી, તેમના એક હાથમાં વીણા અને બીજો હાથ મુદ્રામાં હતો. બાકીના બે હાથમાં પુસ્તક અને માળા દેવીએ ધારણ કર્યા હતા. બ્રહ્માજીએ દેવીને કહ્યું- હે દેવી વીણા વગાડો. આના પર દેવીએ વીણાનો મધુર નાદ છેડ્યો અને આની સાથે જ સંસારના સમસ્ત જીવોને વાણી મળી. જલધારામાં કોલાહલ ફેલાયો અને પવન સરસરાહટ સાથે ચાલવા લાગ્યો. બ્રહ્માજીએ દેવીને વાણીની દેવી તરીકે ચિહ્નિત કર્યા અને તેમને સરસ્વતી નામ આપ્યું. માં સરસ્વતીના અનેક નામ છે – વાગીશ્વરી, ભગવતી, શારદા, વીણાવાદિનીની સાથે જ વાગ્દેવી અને અન્ય નામ. વિદ્યા અને બુદ્ધિના વરદાન આપનારી દેવીએ જ કલા અને સંગીતની ઉત્પત્તિ કરી.

- Advertisement -

સર્વપ્રથમ કોણે કરી માં સરસ્વતીની પૂજા

બ્રહ્મવૈવર્ત પુરાણનું માનીએ તો વસંત પંચમીની તિથિ હતી અને આ જ દિવસે માં સરસ્વતીને શ્રી કૃષ્ણે વરદાન આપ્યું કે સુંદરી! દરેક બ્રહ્માંડમાં મહા શુક્લ પંચમી તિથિ પર વિદ્યા આરંભના શુભ અવસર પર તમારી વિશાળ પૂજા વિધિ વિધાનથી મોટા ગૌરવ સાથે કરવામાં આવશે. મારા વરદાનનો એ પ્રભાવ હશે કે આજથી લઈને પ્રલય આવવા સુધી દરેક કલ્પમાં મનુષ્ય, મનુગણ, દેવતાની સાથે જ મોક્ષકામી, વસુથી લઈને યોગી, સિદ્ધ, નાગ, ગંધર્વ અને રાક્ષસ દરેક વ્યક્તિ ભક્તિ સાથે તમારી આરાધના કરશે. વિદ્વાન પુરુષો દ્વારા તમારી સમ્યક પ્રકારે સ્તુતિ કરવામાં આવશે. કળશ અથવા પુસ્તકમાં તમારું આહ્વાન કરવામાં આવશે. આ વરદાન આપ્યા પછી સર્વપૂજિત ભગવાન શ્રી કૃષ્ણે દેવી સરસ્વતીની સર્વપ્રથમ આરાધના પૂજા કરી અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવ સહિત તમામ દેવી દેવતા અને ઇન્દ્રે ભગવતી સરસ્વતીની પૂજા કરી. ત્યારથી માતા સરસ્વતી સંપૂર્ણ જગતમાં પૂજાવા લાગ્યા.

Share This Article