PM Mudra Yojana Eligibility: કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાના ઉદ્યોગસાહસિકો, દુકાનદારો અને સ્ટાર્ટઅપ્સને આર્થિક પ્રોત્સાહન આપવાના હેતુથી વર્ષ 2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે અથવા હાલના વ્યવસાયોને વિસ્તૃત કરવા માંગે છે, તેમને બેંકો, માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ (MFI) અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) દ્વારા ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવામાં આવે છે. આ લોનની સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની કોલેટરલ (ગેરંટી) જમા કરાવવાની જરૂર પડતી નથી.

