બાંગ્લાદેશમાં ક્રિસમસ પર ક્રૂરતા: લઘુમતિ ખ્રિસ્તીઓના ઘરોને આગ ચાંપી.

Arati Parmar
2 Min Read

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. ઘરોને આગ લગાવીને બદમાશો ભાગી ગયા હતા. આગની આ ઘટના લામા ઉપજિલ્લાના સરાઈ યુનિયનના નોટન તોંગઝિરી ત્રિપુરા પારામાં બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી.

બદમાશોએ તે ઘરોને આગ લગાવી દીધી જ્યારે લોકો ક્રિસમસની ઉજવણી કરવા માટે બીજા ગામમાં ગયા હતા. કારણ કે તેમના વિસ્તારમાં કોઈ ચર્ચ ન હતું. મુખ્ય સલાહકારની પ્રેસ વિંગે ત્રિપુરા સમુદાયના ઘરો પર આગ લગાડવાની ઘટનાની સખત નિંદા કરી છે.

- Advertisement -

બળજબરીથી બહાર કાઢ્યા

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ત્રિપુરા સમુદાયના 19 ઘરોમાંથી 17 ઘર બળીને રાખ થઈ ગયા. તેમણે કહ્યું કે ત્રિપુરા સમુદાયના લોકો લાંબા સમયથી આ વિસ્તારમાં રહે છે. પરંતુ થોડા વર્ષો પહેલા લોકોએ તેમને બળજબરીથી બહાર કાઢ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અવામી લીગના શાસન દરમિયાન આ વિસ્તાર પોલીસ અધિકારીની પત્નીને લીઝ પર આપવામાં આવ્યો હતો. આ પછી તેઓએ ગામમાં વૃક્ષારોપણ કર્યું.

- Advertisement -

નોટુન તોંગઝીરી પારાના વડા પૈસાપ્રુ ત્રિપુરાએ કહ્યું કે, અમે અહીં ત્રણ-ચાર પેઢીઓથી રહીએ છીએ. પોતાને ‘SP મેન’ ગણાવતા લોકોના એક જૂથે ચાર-પાંચ વર્ષ પહેલાં અમને કાઢી મૂક્યા હતા. દરમિયાન પીડિત ગુંગામણિ ત્રિપુરાએ કહ્યું કે, અમારા ઘર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા છે. અમે કંઈપણ બચાવી શક્યા નહીં. સ્થાનિક લોકોને જણાવ્યું કે તે સમયે બેનઝીર અહેમદ પોલીસ મહાનિરીક્ષક હતા. તેણે આ વિસ્તાર તેની પત્નીના નામે લીઝ પર આપ્યો હતો. અવામી લીગના શાસનના પતન પછી રહેવાસીઓ પાછા ફર્યા અને ત્યાં નવા બનેલા મકાનોમાં રહેવા લાગ્યા હતા.

ડેપ્યુટી કમિશનર ગામની મુલાકાત લેશે

- Advertisement -

પીડિતોએ જણાવ્યું કે, ક્રિસમસનો દિવસ અમારા માટે વર્ષનો સૌથી ખુશીનો દિવસ માનવામાં આવે છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે નાતાલના દિવસે આપણી સાથે આવું કંઈક થશે. તેમણે ગુનેગારોને કડક સજાની માંગ કરી હતી. બંદરબન પોલીસને ટાંકીને સીએની પ્રેસ વિંગે કહ્યું કે આ ઘટનાના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી કમિશનર ગામની મુલાકાત લેશે.

Share This Article