Ram Mandir Fake Receipt Scam: રામ મંદિર ફંડ કૌભાંડ: ટ્રસ્ટની સીલ-લોગો સાથે બનાવટી વાઉચર બુક ઝડપાઈ

Arati Parmar
1 Min Read

Ram Mandir Fake Receipt Scam: રામ મંદિર ફંડ કૌભાંડ: ટ્રસ્ટની સીલ-લોગો સાથે બનાવટી વાઉચર બુક ઝડપાઈ

અયોધ્યા: શ્રદ્ધાના નામે થયેલી ઠગાઈનો વધુ એક પુરાવો સામે આવ્યો. SIT એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ની બનાવટી રસીદ કોપી કબ્જે કરી છે.

- Advertisement -

શું સામે આવ્યું?
રિપોર્ટ મુજબ પકડાયેલી રસીદ પુસ્તિકા પર ટ્રસ્ટની ઓરિજિનલ સીલ અને લોગોની હુબહુ નકલ હતી. આરોપીઓ ભક્તો પાસેથી મોટી રકમ ઉઘરાવવા આ બનાવટી બુકનો ઉપયોગ કરતા હતા.

ટ્રસ્ટે ડિજિટલ રસીદ શરૂ કર્યા બાદ આ લોકોએ સીધા દાનના પૈસા પચાવવાનો રસ્તો અપનાવ્યો.

- Advertisement -

તપાસ ક્યાં સુધી પહોંચી?
અયોધ્યા પોલીસે લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કુરુલેશ પાંડેની ફૈઝાબાદ જેલમાંથી કસ્ટડી લીધી છે. તેમની પાસેથી 40 કલાક સુધી પૂછપરછ ચાલી.

SIT હવે પ્રાણ પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ ના ખર્ચાના દસ્તાવેજો પણ ચકાસી રહી છે.
ટ્રસ્ટના સહાયક અધિકારી ગોપાલ રાવને પણ નિવેદન માટે બોલાવવામાં આવ્યા.

- Advertisement -

કરોડો ભક્તોની લાગણી સાથે જોડાયેલા આ મામલામાં ફૈઝાબાદના વકીલોએ પણ આરોપીઓનો કેસ હાથમાં લેવાની ના પાડી દીધી.

Ram Mandir Fund Fraud, Fake Receipt Book Ayodhya, Shri Ram Trust Scam, SIT Raid Ayodhya, Donation Theft Ram Mandir

Share This Article