Sikkim Tunnel Collapse: સિક્કિમના નામચી જિલ્લામાં બની રહેલી એક ટનલમાં ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા આઠ મજૂરોના મોત થયા છે અને અનેક લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે. Rescue Operation ચાલુ છે.
અહેવાલ અનુસાર, આ દુર્ઘટના સોમવારે સમરડુંગ નજીક તીસ્તા સ્ટેજ-6 Hydropower Projectની નિર્માણાધીન 7 કિલોમીટર લાંબી ટનલની અંદર બની હતી.
દુર્ઘટના સમયે National Hydroelectric Power Corporation (NHPC) અને Projectનું નિર્માણ કરી રહેલી પટેલ એન્જિનિયરિંગના વરિષ્ઠ અધિકારીઓ સહિત કુલ 25થી 38 લોકો નિયમિત નિરીક્ષણ માટે ટનલની અંદર હાજર હતા.
જણાવ્યા મુજબ, સતત પડી રહેલા વરસાદને કારણે જમીન અસ્થિર બની રહી છે, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. બીજી તરફ, ટનલની અંદર ઝેરી ગેસ લીક થવાની આશંકાએ Search અને Rescue Operationને વધુ જટિલ બનાવી દીધું છે.
અહેવાલો મુજબ, સમરડુંગ ટનલમાં 43 મજૂરો ફસાઈ ગયા હતા, જે Hydropower Projectનો ભાગ છે. જોકે Rescue ટીમોએ તેમાંથી 16 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
ધ ટેલિગ્રાફે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે જ્યારે ભૂસ્ખલન થયું અને ટનલનો પ્રવેશદ્વાર બંધ થઈ ગયો, ત્યારે અંદર કામ કરી રહેલા મજૂરો ત્યાં જ ફસાઈ ગયા.
અખબારના સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂસ્ખલનને કારણે ગેસ લીક થવાની પણ આશંકા છે. જોકે ગેસ કોઈ Pipelineમાંથી લીક થયો કે પછી ભૂસ્ખલનના કારણે ખસેલી ચટ્ટાનમાંથી કુદરતી રીતે બહાર આવ્યો, તે હજુ સ્પષ્ટ થયું નથી.
પોલીસ, Fire અને Emergency વિભાગ, National Disaster Response Force (NDRF) અને State Disaster Response Force (SDRF)ની ટીમોએ Rescue Operation શરૂ કર્યું. બચાવકર્મીઓએ ટનલમાં પ્રવેશ કરતી વખતે Gas Maskનો ઉપયોગ કર્યો.
બાદમાં સાંજે સિક્કિમ પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે Rescue ટીમોએ 16 ફસાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. પોલીસે એક Video પણ જાહેર કર્યો, જેમાં જણાવાયું કે Rescue Operation અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવ્યું હતું.
અહેવાલ અનુસાર, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સોનમ ડોમા ભૂટિયાએ જણાવ્યું કે, “અમે આઠ મૃતદેહો બહાર કાઢ્યા છે અને આશંકા છે કે હજુ 19 લોકો ટનલની અંદર ફસાયેલા છે. Rescue Operation સોમવાર આખી રાત ચાલુ રહ્યું અને મૃતદેહો મંગળવારે વહેલી સવારે બહાર કાઢી શકાયા. સતત વરસાદને કારણે Rescue Operationમાં ભારે મુશ્કેલી આવી રહી છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે ખરાબ હવામાન અને વિસ્તારની કઠિન પરિસ્થિતિઓને કારણે Rescueની શરૂઆતની ત્રણ કોશિશો નિષ્ફળ રહી હતી.
બચાવ કામગીરીમાં ઝડપ લાવો: મુખ્યમંત્રી
અખબારના જણાવ્યા મુજબ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તામાંગે આ દુર્ઘટનામાં થયેલા મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું કે રાજ્ય સરકાર Rescue Operation માટે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની, અપ્રમાણિત અફવાઓ ન ફેલાવવાની અને અસરગ્રસ્ત પરિવારોની સાથે એકજૂટ રહીને ઉભા રહેવાની અપીલ પણ કરી.
તેમણે જણાવ્યું, “નામચી જિલ્લાના ઝોલુંગે સ્થિત સમરડુંગમાં NHPCની તીસ્તા સ્ટેજ-6 Hydropower Projectની નિર્માણાધીન ટનલમાં બનેલી આ દુઃખદ દુર્ઘટનાથી હું અત્યંત વ્યથિત છું. પોતાનો જીવ ગુમાવનાર મજૂરોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. દુઃખની આ ઘડીએ સમગ્ર રાજ્યની સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિત પરિવારોની સાથે છે અને અમે આ મુશ્કેલ સમયમાં તેમની સાથે મજબૂતીથી ઉભા છીએ.”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું, “હું ચાલી રહેલા Rescue Operation પર સતત નજર રાખી રહ્યો છું. આ પડકારજનક કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓની નિષ્ઠા અને સાહસની હું પ્રશંસા કરું છું. મેં સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરાવે, Rescue Operationમાં ઝડપ લાવે અને સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષાના સર્વોચ્ચ ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરે. અમે Rescue Operationને સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા પ્રતિબદ્ધ છીએ.”

