BLA Attack: પાકિસ્તાનમાં BLAનો મોટો હુમલો, 8 દિવસમાં 22 ઓપરેશનનો દાવો; 26 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા

Arati Parmar
3 Min Read

BLA Attack: બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની આર્મી સામે મોટા પાયે હુમલા કર્યા છે. સંગઠને સોમવારે એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે તેના લડાકુઓએ છેલ્લા આઠ દિવસમાં બલૂચિસ્તાનમાં 22 હુમલાઓને અંજામ આપ્યો છે. આ હુમલાઓ પાક આર્મીના ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેમાં 26 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. BLA બલૂચિસ્તાન પ્રાંતનું અલગાવવાદી સશસ્ત્ર સંગઠન છે, જે લાંબા સમયથી પાકિસ્તાનની સેના અને સરકાર સામે લડી રહ્યું છે. BLAના નવા હુમલાઓ અને ઓપરેશન તેજ કરવાની જાહેરાત પાક આર્મી ચીફ અસી મહેનરની મુશ્કેલી વધારે છે.

BLAએ દાવો કર્યો કે કલાત અને સૂરબમાં IED હુમલાઓમાં 20 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા. આ ઉપરાંત અલગ-અલગ ઓપરેશન્સમાં ચાગાઈ, ખારાન અને પંજગુરમાં પોલીસ અને સુરક્ષા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. સંગઠને નુશ્કી, તુર્બત અને ક્વેટામાં હુમલાઓ, કોમર્શિયલ વાહનો પર હુમલા અને રેલવે ટ્રેક ઉડાવવાની જવાબદારી સ્વીકારી છે.

- Advertisement -

9 વાહનોને બનાવ્યા નિશાન

BLAના જણાવ્યા મુજબ, તેના લડાકુઓએ એવા વાહનોને નિશાન બનાવ્યા, જે પાક આર્મી માટે કામ કરી રહ્યા હતા. તાજેતરના ઓપરેશન્સ દરમિયાન આવા નવ વાહનોને નષ્ટ કરવામાં આવ્યા. BLAએ પ્રાંતમાં રસ્તાઓ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા ઠેકાણાઓ અને આર્થિક પ્રોજેક્ટ્સને પણ નિશાન બનાવ્યા છે. આઠ દિવસના અભિયાનમાં પાકિસ્તાની સુરક્ષાદળોના કુલ 26 લોકો માર્યા ગયા છે.

BLAએ પોતાના આ અભિયાનોને સૂરબ વિસ્તારમાં તાજેતરમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકના બદલા તરીકે રજૂ કર્યા છે. આ એરસ્ટ્રાઇકમાં 27 સામાન્ય નાગરિકોના મોત અને ઘાયલ થયાનો દાવો સ્થાનિક સંગઠનોએ કર્યો છે. ત્યારબાદથી BLA બલૂચિસ્તાનના અનેક વિસ્તારોમાં હુમલા કરીને પાકિસ્તાની દળો અને સરકાર પર દબાણ વધારી રહ્યું છે.

- Advertisement -

બલૂચિસ્તાનમાં હિંસા

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગયા અઠવાડિયે બંદૂકધારીઓએ પ્રાંતના ગૃહમંત્રી મીર જિયાઉલ્લાહ લાંગ્ગોની ગાડીને મસ્તુંગમાં નિશાન બનાવી હતી. આ હુમલામાં મંત્રીના સુરક્ષાકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે પ્રાંતમાં પાકિસ્તાની સરકાર અને સેના માટે કેવા પ્રકારની પરિસ્થિતિ છે.

બલૂચિસ્તાનમાં હિંસા અને અલગાવવાદી આંદોલનનો લાંબો ઇતિહાસ રહ્યો છે. બલૂચિસ્તાન ક્ષેત્રફળની દૃષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે, પરંતુ 1947 પછીથી જ અહીં અસ્થિરતા રહી છે. અનેક સંગઠનો અને સશસ્ત્ર જૂથો સતત પાકિસ્તાની આર્મી અને સરકાર સામે લડતા રહ્યા છે. આ જૂથોની માંગણીઓને પાકિસ્તાન અવગણતું રહ્યું છે, જેના કારણે ગુસ્સો વધુ ભડકી રહ્યો છે.

- Advertisement -
Share This Article