કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી, આતંકીઓને આપી ચેતવણી

Reena Brahmbhatt
2 Min Read

દ્રાસ : કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગિલ થઈને દ્રાસ પહોંચ્યા અને યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કારગિલ વોર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે લદ્દાખની આ મહાન ભૂમિ કારગિલ વિજયના 25 વર્ષ પૂર્ણ થયાનું સાક્ષી બની રહી છે. કારગિલ વિજય દિવસ આપણને કહે છે કે રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે આપેલા બલિદાન અમર છે. દિવસો, મહિનાઓ, વર્ષો, સદીઓ વીતી જાય છે, ઋતુઓ પણ બદલાય છે પણ રાષ્ટ્રની રક્ષા માટે જીવ જોખમમાં મૂકનારના નામ અમર રહે છે. આ દેશ આપણી સેનાના પરાક્રમી વીરોનો કાયમ માટે ઋણી છે.

kargil memorial

- Advertisement -

અસત્ય અને આતંકનો પરાજય થયો : પીએમ મોદી

કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે માત્ર કારગીલમાં યુદ્ધ જીત્યા નથી. અમે સત્ય, સંયમ અને શક્તિનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું. બદલામાં પાકિસ્તાને ફરી એકવાર પોતાનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો. પરંતુ સત્ય સામે અસત્ય અને આતંકનો પરાજય થયો.

- Advertisement -

આતંકવાદીઓને ચેતવણી આપી

પીએમ મોદીએ લદ્દાખમાં આતંકીઓને ચેતવણી પણ આપી હતી. પીએમે કહ્યું કે હું બોલી રહ્યો છું જ્યાંથી આતંકના માસ્ટર્સ સીધો મારો અવાજ સાંભળી શકે. તેમની નાપાક યોજનાઓ ક્યારેય પૂર્ણ થશે નહીં. દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.. લદ્દાખ હોય કે જમ્મુ અને કાશ્મીર, ભારત તેના વિકાસનો સામનો કરી રહેલા દરેક પડકારને ચોક્કસપણે હરાવી દેશે.

- Advertisement -
Share This Article