e-Arrival Card Online: ભારતમાં ૧ એપ્રિલ, ૨૦૨૬થી ઘણા નવા નિયમો લાગુ થઈ રહ્યા છે, જેમાંનો એક ‘ઈન્ડિયા ઈ-અરાઈવલ કાર્ડ’ પણ છે. આજથી દેશમાં આવનારા તમામ વિદેશી નાગરિકોએ જૂના કાગળના ડિસએમ્બાર્કેશન કાર્ડને બદલે એક ડિજિટલ અરાઈવલ ફોર્મ ભરવું પડશે. OCI કાર્ડધારકો સહિત ભારતમાં હવાઈ માર્ગે આવતા તમામ વિદેશી નાગરિકોએ લેન્ડિંગના ૭૨ કલાક પહેલા ઓનલાઈન ‘ઈ-અરાઈવલ કાર્ડ’ ભરવું અનિવાર્ય છે. આ કાર્ડ માટેનું ફોર્મ સત્તાવાર ભારતીય વિઝા પોર્ટલ અથવા ‘સુ-સ્વાગતમ’ એપ પર ઉપલબ્ધ છે. આમાં પાસપોર્ટ, ફ્લાઈટ, સંપર્ક અને રોકાણ સંબંધિત વિગતો ભરવાની હોય છે. ચાલો, આના વિશે ડિટેલમાં જાણીએ.
શું છે ઈ-અરાઈવલ કાર્ડ?
જણાવી દઈએ કે ઈ-અરાઈવલ કાર્ડ ડિસએમ્બાર્કેશન કાર્ડ (ફોર્મ D) નું જ ડિજિટલ સ્વરૂપ છે. મુસાફરોએ અત્યાર સુધી ભારતમાં પ્રવેશતા પહેલા હવાઈ જહાજમાં જ આ ફોર્મ ભરવું પડતું હતું. આમાં મુસાફરોની બેઝિક જાણકારી, મુસાફરીનો ઈતિહાસ, ફ્લાઈટની વિગતો અને સંપર્ક સંબંધિત જાણકારી લેવામાં આવે છે. આ સિસ્ટમ સીધી ભારતના ઇમિગ્રેશન ડેટાબેઝ સાથે જોડાયેલી છે. આનાથી અધિકારીઓને મુસાફરોના આગમનની પ્રક્રિયા વધુ સરળતાથી પૂરી કરવામાં મદદ મળે છે. આનાથી ડેટા એન્ટ્રીમાં થતી ભૂલો પણ ઓછી થઈ જાય છે.
કેમ જરૂરી છે ઈ-અરાઈવલ કાર્ડ?
૧ એપ્રિલ, ૨૦૨૬થી ભારતમાં હવાઈ માર્ગે આવતા વિદેશીઓએ ઈ-અરાઈવલ કાર્ડ ભરવું પડશે. આ ફોર્મ ભર્યા પછી મુસાફરોને એક QR કોડ મળશે. આ ક્યુઆર કોડ ઇમિગ્રેશન પર બતાવવો પડશે.
ઈ-અરાઈવલ કાર્ડનો ઉદ્દેશ્ય:
ઇમિગ્રેશન ક્લિયરન્સની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવી.
મુસાફરોની સચોટ અને સાચી જાણકારી મેળવવી.
કાગળનો બગાડ અને મેન્યુઅલ પ્રક્રિયાઓને ઓછી કરવી.
e-Arrival Card કેવી રીતે જમા કરવું
ઈ-અરાઈવલ કાર્ડ ભરવું ખૂબ જ સરળ છે. આ માટે તમે “Su-Swagatam” મોબાઈલ એપનો ઉપયોગ કરી શકો છો અથવા તો indiavisaonline.gov.in પર જવું પડશે.
ત્યારબાદ તમારી કેટલીક પર્સનલ જાણકારી જેવી કે નામ, પાસપોર્ટ નંબર વગેરે ભરવાની રહેશે.
ધ્યાન રાખો કે તમે તમારી ફ્લાઈટના ૭૨ કલાક પહેલા સુધી ફોર્મ પૂરું કરી શકો છો.
ફોર્મ જમા કર્યા પછી, તમને એક QR કોડ મળશે. ભારત પહોંચવા પર તેને ઇમિગ્રેશન અધિકારીઓને બતાવો.
આ QR પુષ્ટિ એ વાતનો પુરાવો છે કે તમે ભારત પહોંચતા પહેલાની તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે.

