Rates cut by Reserve Bank: ટેરિફ વોર અને રિઝર્વ બેન્ક, વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા

Arati Parmar
2 Min Read

Rates cut by Reserve Bank: વૈશ્વિક ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની સોમવારથી   શરૂ થનારી નાણાં નીતિની ત્રણ દિવસની   સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધુ પા ટકાનો ઘટાડો થવાની શકયતા વધી ગઈ છે. વર્તમાન સંપૂર્ણ વર્ષમાં એક ટકા સુધીનો ઘટાડો થવા અપેક્ષા છે.

અમેરિકા દ્વારા શરૂ થયેલ ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના આર્થિક વિકાસને ફટકો પડવાનું જોખમ ઊભું થયું છે, આવી સ્થિતિમાં દેશના ઉદ્યોગો તથા અર્થતંત્રને ટેકો પૂરો પાડવા રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધુ ઘટાડો કરશે તેવી શકયતા વધી ગઈ હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.

- Advertisement -

ફેબુ્રઆરીમાં યોજાઈ ગયેલી બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કર્યો હતો જે છેલ્લા પાંચ વર્ષના ગાળા બાદ પ્રથમ ઘટાડો હતો.

Share This Article