અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની RRR વાન પર નાગરિકો તેમના વધારાના જૂના કપડાં, પગરખાં, ઘરની વસ્તુઓ, રમકડાં, પુસ્તકો, નાનું ફર્નિચર દાનમાં આપી શકશે. શહેરના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી આ વસ્તુઓનો યોગ્ય વ્યવસ્થાપન દ્વારા પુનઃઉપયોગ અથવા રિસાયકલ કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ કચરો ઘટાડીને અને ટકાઉ કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરીને શહેરને સ્વચ્છ અને સંગઠિત બનાવવાનો છે.

આ પ્રસંગે મેટ્રો કનેક્ટિવિટી ફીડર રૂટ અને નવા રિવરફ્રન્ટ રૂટ પરની ઈ-બસો ઈકો-ફ્રેન્ડલી જાહેર પરિવહનને પ્રોત્સાહન આપશે. આના કારણે શહેરના કાર્બન ઉત્સર્જન અને વાયુ પ્રદુષણમાં ઘટાડો થશે અને નાગરિકોને રિવરફ્રન્ટ અને મેટ્રો સ્ટેશન સુધી સાદી અને સુવિધાજનક જાહેર પરિવહન સુવિધા મળશે. મેટ્રો કનેક્ટિવિટી ફીડર રૂટ દ્વારા, શહેરના રહેવાસીઓને મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં, જે પર્યાવરણ માટે આડકતરી રીતે ફાયદાકારક સાબિત થશે.
સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારસન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, ધારાસભ્યો અમિતભાઈ શાહ અને અમિતભાઈ ઠાકર, મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કાઉન્સિલરો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એએમટીએસના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

