ઇન્ડિયન આર્મીની Agniveer Tattoo Policy જાહેર, આ જગ્યાઓ પર ટેટૂ હશે તો રિક્રૂટમેન્ટ રેલીમાંથી થઈ શકે છે ડિસ્ક્વોલિફાય

Arati Parmar
3 Min Read

અગ્નિવીર રેલી 2026માં ટેટૂ ધરાવતા ઉમેદવારો માટે મહત્વની માહિતી, જાણો કયા ભાગો પર ટેટૂ અલાઉડ છે અને ક્યાં છે પ્રતિબંધ

Agniveer Tattoo Policy: શરીર પર ટેટૂ છે અને આર્મીમાં જોડાવા માટે આવનારા દિવસોમાં અગ્નિવીર રેલીમાં સામેલ થવા જઈ રહ્યા છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે. ઇન્ડિયન આર્મીએ અગ્નિવીર રેલી માટે ટેટૂ પોલિસી જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે શરીરના કયા ભાગો પર ટેટૂ અલાઉડ છે અને કયા ભાગો પર નથી. આવી સ્થિતિમાં જો તમે પણ અગ્નિવીર રેલીમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા છો, તો આ બાબત પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

ભારતીય સેના અગ્નિવીર ભરતી માટે પ્રોગ્રામ અને શેડ્યૂલ અનુસાર રેલીનું આયોજન કરી રહી છે. જેમાં યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. હાઇટ, ચેસ્ટ, વજન માપન, દોડ જેવી શારીરિક પ્રવૃત્તિઓ સાથે આ પ્રક્રિયામાં ઉમેદવારના સમગ્ર શરીરની તપાસ કરવામાં આવે છે. સાથે શરીર પર ટેટૂ પણ જોવામાં આવે છે, કારણ કે સેનામાં ટેટૂને લઈને કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જો બોડી પર એવી કોઈ જગ્યાએ ટેટૂ હોય, જે સેનાની પોલિસીનું ઉલ્લંઘન કરે છે, તો ઉમેદવાર આ જ તબક્કેથી બહાર થઈ શકે છે.

- Advertisement -

આર્મી અગ્નિવીર રેલી ટેટૂ પોલિસી 2026

ઇન્ડિયન આર્મીમાં ટેટૂને લઈને કડક નિયમો છે. જોકે તેમાં કેટલાક કેસમાં છૂટ આપવામાં આવી છે. પરંતુ તેના માટે ઉમેદવારે સર્ટિફિકેટ જમા કરાવવા પડશે. તાજેતરમાં ભારતીય સેના ભરતી મહાનિર્દેશાલય તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે.

- Advertisement -

કયા ટેટૂ અલાઉડ છે?

  • ટ્રાઇબલ કમ્યુનિટી (જનજાતીય સમુદાય): જનજાતીય વિસ્તાર અને સમુદાયના એવા ઉમેદવારો, જેમણે પોતાના રીતિ-રિવાજોનું પાલન કરતાં શરીર પર પરમેનન્ટ ટેટૂ બનાવડાવ્યા છે, તેમને મંજૂરી આપવામાં આવશે. પરંતુ આવા કૅન્ડિડેટે સેલ્ફ સર્ટિફિકેશન સર્ટિફિકેટ (Appendix E-I) અને ટ્રાઇબલ ટેટૂ પરમિશન સર્ટિફિકેટ (Appendix E-II), જે DC/DM/SDM દ્વારા હસ્તાક્ષરિત હોય, તે જમા કરાવવું પડશે.
  • ધાર્મિક ટેટૂ: ટ્રાઇબલ કમ્યુનિટી સિવાય શરીરના કેટલાક ભાગો પર ધાર્મિક ટેટૂ અલાઉડ હશે. પરંતુ આ કોહણી, કાંડા અને હાથના પાછળના ભાગ પર પણ માન્ય છે. શરીરના અન્ય કોઈપણ ભાગ પર બનાવવામાં આવેલા ધાર્મિક ટેટૂ પણ અલાઉડ નહીં હોય.

આ જગ્યાઓ પર ટેટૂ અલાઉડ નથી

શરીરના આ ભાગોમાં બનાવવામાં આવેલા પરમેનન્ટ ટેટૂ આર્મીમાં જોડાવા માટે માન્ય નથી. અગ્નિવીર રેલીમાં પણ તેની મનાઈ છે.

  • હાથનો ઉપરનો ભાગ (ખભો).
  • છાતી.
  • ગરદન.
  • પગ.
  • પાંસળીઓ.

આ જગ્યાઓમાંથી કોઈપણ જગ્યાએ કૅન્ડિડેટનું ટેટૂ હોય, તો તેને અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલીમાં ડિસ્ક્વોલિફાય માનવામાં આવશે. આથી રેલીમાં જતાં પહેલાં જ ઉમેદવારોએ ટેટૂ પોલિસી વિશે સારી રીતે વાંચીને જવું જોઈએ. જો તમારું ટેટૂ નિયમો હેઠળ આવે છે, તો તમે આર્મી રેલીમાં નિઃસંકોચ ભાગ લઈ શકો છો. તેના માટે પોતાનું એડમિટ કાર્ડ, 10મી માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવું. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ સાથે રાખવા, તેમનું વેરિફિકેશન કરવામાં આવશે.

- Advertisement -
Share This Article