AMC News: AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, બાલવાટિકા થી ધોરણ 10 સુધીનું શિક્ષણ હવે વિનામૂલ્યે, વાલીઓ માટે મોટી રાહત

Arati Parmar
2 Min Read

AMC News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એ.એમ.સી દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. હાલમાં શહેરમાં એ.એમ.સી સંચાલિત ધોરણ 1 થી 8ની 400થી વધુ સ્કૂલો ચાલે છે. આગામી સમયમાં ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે બાલમંદિર માંડીને ધોરણ 10 સુધી મફત શિક્ષણ મળશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સાત ઝોનમાં સાત શાળાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ શાળાઓ શરૂ કરાશે. સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી 1.70 લાખ વિદ્યાર્થીને ફાયદો થશે.

- Advertisement -
ક્રમ.અ.મ્યુ.કો.ઝોન  શાળાનું નામ શાળાનું સરનામું 
1ઉત્તર પશ્વિમચાણક્ય પ્રા.શાળાસેક્ટર-4, વ્રજધામ ફ્લેટની બાજુમાં, ચાણક્યપુરી, ઘાટલોડીયા, અમદાવાદ
2પૂર્વલોટસ પબ્લિક સ્કૂલનીલકંઠ એપાર્ટમેન્ટ, સદગુરૂ ગાર્ડન, વિરાટનગર, અમદાવાદ
3પશ્વિમએલિસબ્રિજ શાળા નં.17જી.એસ.ટી ભવનની પાસે, પાંજરાપોળ, અમદાવાદ
4દક્ષિણ પશ્વિમમકરબા પ્રા.શાળાપાણીની ટાંકી પાસે, મકરબા ગામ, સરખેજ રોજા પાસે, અમદાવાદ
5ઉત્તરસરસપુર શાળા નં. 11અનિલ સ્ટાર્ચ મિલ પાસે, સરસપ્પુર, અમદાવાદ
6દક્ષિણપીપળજ પ્રા. શાળાઅર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં, ઠાકોરવાસ, અમદાવાદ
7મધ્યપ્રિતમપુરા શાળા નં. 3રચના સ્કૂલ પાસે, કાનજીનગર, શાહીબાગ, અમદાવાદ

કોર્પોરેશનના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત થશે. ખાનગી શાળામાં તગડી ફી ભરી ભરીને વાલીઓની કમર ભાગી જતી હતી. કોર્પોરેશના આ નિર્ણયથી વાલીઓનો શિક્ષણનો આર્થિક બોજો ઘટી જશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.

TAGGED:
Share This Article