બાબા સિદ્દીક મર્ડર: શું હત્યાનો આદેશ લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવ્યો હતો ?

Reena Brahmbhatt
1 Min Read

માસ્ટરમાઇન્ડ સૌરવ મહાકાલ, કાવતરાને અંજામ આપ્યો પ્રવીણ-શુભમ લોણકરે

મુંબઈ: હત્યાના બે દિવસ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પ્રવીણ લોણકરની પુણેથી ધરપકડ કરી અને તેને મંગળવારે મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે સરકારી વકીલે કરેલી રજૂઆત પછી બાબા સિદ્દીકીની હત્યાના કાવતરાની અથથી ઇતિ જાણકારી જાણવા મળી હતી.

- Advertisement -

બાબા સિદ્દીકીની હત્યાનો ઑર્ડર ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવ્યો હતો, જ્યારે માસ્ટરમાઇન્ડ સૌરવ મહાકાલ હતો, જે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સંડોવાયેલો હતો અને તેની ધરપકડ પણ કરાઇ હતી.

દરમિયાન બિશ્ર્નોઇ ગેન્ગ સાથે સંકળાયેલા પુણેના શુભમ લોણકરે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેના ભાઇ પ્રવીણ સાથે અમલ કરાવ્યો હતો. બાબા સિદ્દીકીની હત્યા માટે શૂટરોને સુપારી આપવામાં આવી હતી. સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓમાંથી ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહની ધરપકડ કરાઇ હતી, જ્યારે શિવકુમાર ગૌતમ અને જીશાન અખ્તર ફરાર છે. આરોપીઓને પકડવા માટે પોલીસની પંદર ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમને હરિયાણા, પુણે, દિલ્હી અને ઉજ્જૈન રવાના કરાઇ છે.

- Advertisement -
Share This Article