કૌટુંબિક વિખવાદથી કંટાળીને દંપતીએ સગીર પુત્રોની હત્યા કરી આપઘાત કર્યો

Reena Brahmbhatt
1 Min Read

કોટા, 3 ડિસેમ્બર: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં મંગળવારે એક દંપતીએ કથિત રીતે તેમના બે સગીર પુત્રોની હત્યા કરી નાખી અને ફાંસી લગાવીને આત્મહત્યા કરી. પોલીસે આ માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના ગંગધર પોલીસ સ્ટેશન વિસ્તારના જેતખેડી ગામમાં બની હતી.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર, નાગુ સિંહ (30), સંતોષબાઈ (23) અને તેમના પુત્ર યુવરાજ સિંહ (5)ના મૃતદેહ ઘરમાં લટકેલા મળી આવ્યા હતા જ્યારે તેમનો એક વર્ષનો પુત્ર પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ઝાલવાડના પોલીસ અધિક્ષક રિચા તોમરે જણાવ્યું હતું કે મોટા પુત્રની હત્યા ફાંસી લગાવીને કરવામાં આવી હતી, જ્યારે નાના પુત્રનું ગળું દબાવીને કરવામાં આવ્યું હતું.

- Advertisement -

તોમરે કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટનાનું કારણ પારિવારિક વિવાદ હોવાનું માનવામાં આવે છે.

Share This Article