Arvind Kejriwal: ગુજરાતની ધરતી પર BJP બોજ બની ગઈ છે: અરવિંદ કેજરીવાલ

Arati Parmar
3 Min Read

Arvind Kejriwal: સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં દિલ્હી પૂર્વ CM અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માનએ ભાજપ સરકાર પર કડક પ્રહાર કર્યો. કેજરીવાલે જણાવ્યું કે હવે ગુજરાતમાં BJP સરકારના અંતની શરૂઆત થઈ ગઈ છે.

કિસાનો પર દમન અને ખોટા કેસનો આરોપ

- Advertisement -

કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ખેડૂતોના હકો છીનવવામાં આવી રહ્યા છે અને જે પોતાનો હક માગે છે, તેવા 85 ખેડૂતોને ખોટા કેસ લગાવીને જેલમાં મોકલાયા છે. તેમણે કહ્યું કે “સરદાર પટેલની ધરતી આજે રડી રહી છે, કારણ કે અહીંના ખેડૂતો પર લાઠીચાર થાય છે અને ખોટા ગુનાઓમાં ફસાવવામાં આવે છે.”

સરદાર પટેલના નામે હુમલો

- Advertisement -

અરવિંદ કેજરીવાલે યાદ અપાવ્યું કે 150 વર્ષ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂત હિત માટે અનેક આંદોલનો કર્યા હતા — જેમ કે ખેડા સત્યાગ્રહ અને બાર્ડોલી આંદોલન, જેમાં એક પણ વખત લાઠીચાર કે ખોટા કેસ થયા ન હતા.

કેજરીવાલે કહ્યું કે “સરદાર પટેલે ક્યારેય વિચાર્યું ન હતું કે આજાદી પછી ગુજરાતમાં આવી અત્યાચારી સરકાર આવશે.”

- Advertisement -

“ટ્રમ્પ સામે ડર, ખેડૂતો સામે દમન”

કેજરીવાલે BJP પર તીખો વ્યંગ કરતાં કહ્યું કે “જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવે છે ત્યારે BJPની પેન્ટ ભીંજી જાય છે, પણ ગરીબ ખેડૂતોને જેલમાં મોકલવામાં આ સરકારને શરમ નથી આવતી.”

“દિવાળીએ ખેડૂતના ઘરમાં અંધકાર”

કેજરીવાલે કહ્યું કે “દિવાળીના તહેવારે જ્યારે BJPના નેતાઓ દીવા પ્રગટાવી રહ્યાં હતા, ત્યારે ખેડૂતના ઘરમાં રડવાનું માહોલ હતું.”

તેમણે કહ્યું કે ખેડૂતોના સંતાનો જેલમાં છે અને તેમના પરિવારોએ અત્યાચાર સહન કરવા પડે છે. “AAP દરેક ખેડૂતના પરિવારમાં સાથે ઉભી છે,” એમ તેમણે ઉમેર્યું.

ખેડૂતોમાં BJP સામે રોષ

કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી ખેડૂતો BJPને મત આપી રહ્યા છે, પણ હવે ખેડૂતોને સમજાયું છે કે BJPએ માત્ર દમન કર્યું છે. તેમણે કહ્યું કે “જો પોલીસનો સહારો BJP છોડે, તો ગુજરાતના ખેડૂત તેમને ઘરમાંથી કાઢી દેશે.”

“હર્ષ સાંઘવી બની ગયા છે સુપર CM”

કેજરીવાલે ડેપ્યુટી CM હર્ષ સાંઘવી પર પણ હુમલો કરતાં કહ્યું કે ખેડૂતો પર લાઠીચાર્જ અને ખોટા કેસના આદેશો સાંઘવીના હતા, અને BJPએ તેમને ઇનામરૂપે ડિપ્ટી CM બનાવી દીધા.

તેમણે કહ્યું કે હવે ભૂપેન્દ્ર પટેલ માત્ર “ડમી CM” છે અને હર્ષ સાંઘવી વાસ્તવિક CM તરીકે કામ કરી રહ્યા છે.

“BJPની ગણતરી શરૂ થઈ ગઈ છે”

કેજરીવાલે કહ્યું કે હવે ગુજરાતમાં BJPની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ગઈ છે. જેમ 37 વર્ષ પહેલાં કોંગ્રેસ અહંકારના કારણે હારી ગઈ, તેમ આ વખતે BJPનો પણ અંત નિશ્ચિત છે.

“AAP ખેડૂતો સાથે છે”

અંતમાં કેજરીવાલે કહ્યું કે “AAP ખેડૂતોની દરેક લડાઈમાં સાથ આપશે. હું પણ એક ખેડૂતનો દીકરો છું — જો લાઠી વાગશે તો પહેલા મને વાગશે.”

 

 

Share This Article