FSSAI Food Safety App: એનર્જી ડ્રિંક્સની ભ્રામક લેબલિંગ સામે FSSAI કડક, સ્ટ્રીટ ફૂડ સંચાલકો માટે સર્ટિફિકેટ ફરજિયાત

Arati Parmar
3 Min Read

FSSAI Food Safety App: ભારતીય ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા પ્રાધિકરણ (FSSAI)એ જણાવ્યું છે કે દેશમાં પેક્ડ ફૂડની સાથે સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંસ્થાએ ખાદ્ય પદાર્થોના ઉત્પાદક, વિતરક, લેબ, ફૂડ સુરક્ષા સાથે જોડાયેલી સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે ‘ફૂડ સેફ્ટી એપ’ પણ લોન્ચ કરી છે.

સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી રજિત પુનહાનીએ કહ્યું છે કે દેશમાં કેટલાક પેય (પીણાં), એનર્જી ડ્રિંક લેબલિંગ કરીને વેચવામાં આવી રહ્યા હતા, જે ભ્રામક જાહેરાતની શ્રેણીમાં આવે છે.

- Advertisement -

ભારતીય ઉદ્યોગ પરિષદ અને ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા પ્રાધિકરણ તરફથી ‘સ્ટેટ કનેક્ટ અભિયાન ૨૦૨૬’ હેઠળ અમદાવાદમાં ખાદ્ય ઉત્પાદક, નિરીક્ષક, વિતરક, લેબ સંચાલક અને હોટલ-રેસ્ટોરન્ટ માલિકોનું એક સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું.

પ્રાધિકરણે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં વેચાતા ખાદ્ય અને પેય પદાર્થ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળા હોવા જોઈએ. તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ પર લાવવા માટે ‘ફૂડ સેફ્ટી કનેક્ટ’ નામથી એક એપ તૈયાર કરવામાં આવી છે. સ્ટ્રીટ ફૂડ સંચાલકોને પણ હવે FSSAIનું સર્ટિફિકેટ લેવું પડશે. ખાદ્ય પદાર્થોના વેચાણને લઈને દીવાની અને ફોજદારી કેસ ઉપરાંત દંડની પણ જોગવાઈ છે.

- Advertisement -

પ્રાધિકરણના મુખ્ય કાર્યકારી અધિકારીનું કહેવું છે કે કોઈપણ પ્રકારના ફૂડ કે ખાદ્ય પદાર્થ માટે ભ્રામક જાહેરાત સ્વીકાર્ય નથી. હાલમાં રાજસ્થાન સરકાર તરફથી આશરે અડધા ડઝન એનર્જી ડ્રિંક બ્રાન્ડ પર રોકના મુદ્દા પર તેમણે કહ્યું કે પેય પદાર્થમાં કોઈ ખોટ નથી પરંતુ તેની લેબલિંગને લઈને વાંધો છે.

દેશમાં એનર્જી ડ્રિંક તરીકે વેચાતા પેય પદાર્થ એનર્જી ડ્રિંક નથી કારણ કે આ માત્ર પેય પદાર્થ છે, એનર્જીનો અર્થ એવા ભોજનથી છે જે તમને કાર્બોહાઈડ્રેટ, વિટામિન, પ્રોટીનની ભરપાઈ કરે છે અને કોઈ પણ પદાર્થ આવું કરતું નથી. ધ્યાન રહે કે રાજસ્થાન સરકારે હાલમાં સ્ટિંગ, કેમ્પા જેવી અડધા ડઝન બ્રાન્ડ પર એનર્જી ડ્રિંકના લેબલ પર વાંધો વ્યક્ત કરતા તેમના પર રોક લગાવી હતી.

- Advertisement -

પ્રાધિકરણે કહ્યું છે કે ખાદ્ય અને પેય પદાર્થના ઉત્પાદન અને માર્કેટિંગમાં પારદર્શિતા વધારવી જોઈએ. ઉત્પાદન પર કરવામાં આવેલી લેબલિંગમાં બેચ, એક્સપાયરી ડેટ તથા તેમાં વપરાયેલ પદાર્થ વિશે સ્પષ્ટ સૂચના આપવામાં આવવી જોઈએ.

પુનહાનીએ કહ્યું કે વર્તમાનમાં દેશના ખાદ્ય ઉત્પાદક અને નિકાસકારોની સામે ઈ-કોમર્સ અને નિકાસનું ક્ષેત્ર ઘણું મહત્વનું છે અને આ માટે સંસ્થાઓએ પ્રમાણીકરણ અને ડિજિટલ ટેકનિકથી સજ્જ બનવું પડશે.

Share This Article