Gujarat cabinet: ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: નવા મંત્રીઓની યાદી સામે આવી, મુખ્યમંત્રીએ કર્યો કોલ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Gujarat cabinet : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું મંત્રીમંડળ ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યું છે. નવા મંત્રીઓની શપથવિધિ આજે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિરમાં યોજાશે. તેના પહેલાં રાજ્યના કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ થવા માટે મુખ્યમંત્રીએ ફોન દ્વારા જાણકારી આપી છે.

હજુ સુધીની જાણકારી પ્રમાણે, જૂના મંત્રીમંડળના 16 પૈકી 6 મંત્રીઓને ફરીથી મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, કનુભાઈ દેસાઈ અને ઇશ્વરસિંહ પટેલનું સ્થાન નક્કી થયું છે.

- Advertisement -

નવી સરકારમાં ચાર આદિવાસી નેતાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પી.સી.બરંડા, જયરામ ગામિત, નરેશ પટેલ અને કાંતિ અમૃતિયાનો સમાવેશ થશે. આ ધારાસભ્યો ભિલોડા, નિઝર, ગણદેવી અને મોરબી જેવા આદિવાસી વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરશે.

નરેશ પટેલ (ગણદેવી)

- Advertisement -

કાંતિ અમૃતિયા (મોરબી)

અર્જુન મોઢવાડી (નવો સમાવેશ)

- Advertisement -

ડૉ. પ્રદ્યુમન વાજા (કોડીનાર)

કૌશિક વેકરીયા (અમરેલી)

સ્વરૂપજી ઠાકોર (વાવ)

દર્શનાબેન વાઘેલા, જીતુ વાઘાણી, ત્રિકમ છાંગા, જયરામ ગામિત, રીવાબા જાડેજા (જામનગર ઉત્તર)

ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ મહત્તમ 27 મંત્રીઓ નિમણૂક કરી શકાય છે. આ વખતે “એક વ્યક્તિ, એક પદ”ની નીતિ પ્રમાણે, રાજ્યમાર્ગે ચૂંટણી કમિટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મંત્રી પરિષદમાં સામેલ નહીં થાય.

 

 

Share This Article