Gujarat National Highway Project 1200 Crore: ગુજરાતને મળી મોટી ભેટ, બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો થશે અપગ્રેડ; કેન્દ્રએ મંજૂર કરી ૧૨૦૦ કરોડ રૂપિયાની રકમ

Arati Parmar
3 Min Read

Gujarat National Highway Project 1200 Crore: ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસનને નવી ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઈવે) પ્રોજેક્ટ્સના અપગ્રેડેશન માટે લીલી ઝંડી આપી દીધી છે. આશરે ૧,૨૦૬.૭૮ કરોડ રૂપિયાના કુલ ખર્ચવાળા આ પ્રોજેક્ટ્સથી માત્ર પરિવહન જ સુગમ નહીં થાય, પરંતુ રાજ્યમાં વેપારની સાથે મુખ્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળો સુધી પહોંચવું પણ સરળ બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે.

કચ્છમાં કયો પ્રોજેક્ટ મંજૂર થયો?

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કચ્છ જિલ્લામાં ચિત્રોડ-રાપર-બાલાસર સેક્શનના અપગ્રેડેશન માટે ૬૯૮.૭૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ હાઈવે ચિત્રોડ પાસે NH-27 (અમૃતસર-જામનગર કોરિડોર) થી શરૂ થઈને બાલાસર પાસે NH-754K પર સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટમાં રાપર શહેર માટે બાયપાસ પણ સામેલ છે, જેનાથી શહેરની અંદર ટ્રાફિક જામની સમસ્યા ઓછી કરવામાં મદદ મળશે.

- Advertisement -

આ સેક્શન આશરે ૫૭.૮૪૮ કિલોમીટર લાંબો છે અને મોરબીમાં ફતેહગઢ ક્ષેત્રના પ્રખ્યાત સિરામિક ઉદ્યોગ માટે કાચા માલનો મુખ્ય સ્ત્રોત છે. આ રસ્તો સુધરવાથી માલ-સામાનનું પરિવહન ઝડપી અને સસ્તું થશે. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, સફેદ રણ (ધોરડો) અને ‘રોડ-ટુ-હેવન’ જેવા પ્રવાસન સ્થળોને પણ જોડે છે.

- Advertisement -

૬૮ કિલોમીટર લાંબા રાજમાર્ગની હાલત સુધારાશે

ગુજરાતને મળેલી બીજી ભેટમાં કેન્દ્ર સરકારે NH-41 ના નલિયા-નારાયણ સરોવર સેક્શન (૬૮ કિમી) ના અપગ્રેડેશન માટે ૫૦૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમથી આ સેક્શનનું પહોળીકરણ અને મજબૂતીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નારાયણ સરોવર સુધી કનેક્ટિવિટી બહેતર બનશે. નારાયણ સરોવર હિન્દુ ધર્મના પંચ-સરોવરો પૈકીનું એક છે અને ત્યાં વર્ષમાં બે વાર ભરાતા મેળામાં હજારો લોકો ઉમટે છે.

વેપાર, પ્રવાસન અને રોજગારને વેગ મળશે

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને સ્થાનિક રોજગારની નવી તકો ઊભી થશે. સાથે જ માર્ગ સુરક્ષામાં સુધારો થશે અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સેન્ચુરી (લાલા-પરજણ સેન્ચુરી) જેવા વિસ્તારોમાં ઈકો-ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે.

- Advertisement -
Share This Article