“મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી આપવા બદલ હું માનનીય વડાપ્રધાનનો આભારી છું”: C.R. પાટીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલને જલ શક્તિ મંત્રાલય ફાળવવામાં આવ્યું હતું. સી.આર. પાટીલે મંગળવારે સવારે 10.30 વાગ્યે પરિવારના સભ્યો અને સમર્થકોની હાજરીમાં જલ શક્તિ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો.

જલ શક્તિ મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ સી આર પાટીલે કહ્યું, “મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી આપવા બદલ હું માનનીય વડાપ્રધાનનો આભારી છું.”
સી.આર. પાટીલે કહ્યું, “મારો સંકલ્પ છે કે જલ શક્તિ મંત્રાલય દ્વારા, અમે જળ સંરક્ષણ, સ્વચ્છતા અને વ્યવસ્થાપનમાં નવા ધોરણો સ્થાપિત કરીશું. આ દિશામાં, અમે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહિત કરીશું અને નવીનતમ તકનીકોનો ઉપયોગ કરીને જળ સંસાધનોનું સંરક્ષણ કરીશું.”

