વડોદરાઃ બળાત્કાર-હત્યાનો આરોપી પેરોલમાંથી ફરાર હતો તે ઝડપાયો.

Reena Brahmbhatt
1 Min Read

યુવતીને અમદાવાદ બોલાવ્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.

અમદાવાદમાં એક બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનાર આજીવન કેદની પેરોલ નાસી છૂટ્યા બાદ તેની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના શ્રીજી ફ્લેટ, મંગલદીપ સોસાયટી, ચાણક્યપુરી, સમા વિસ્તારમાં રહેતો જીજ્ઞેશ ઉર્ફે જીગો ઉર્ફે જીતેન્દ્ર રમણભાઈ પરમાર મે 2011માં એક યુવતીને તેના મિત્રએ બોલાવી હોવાનું સમજાવીને અમદાવાદ સનાથલ લઈ ગયો હતો. રેલ્વે બ્રિજ પાસેના રૂમમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ જીજ્ઞેશે તેણીના પેટમાં છરા મારી હત્યા કરી હતી અને તેની સાથે રૂ.1.25 લાખની ચેઈન પણ લૂંટી લીધી હતી.

- Advertisement -

crime 2

આ બનાવ અંગે અમદાવાદ પોલીસે જીગ્નેશની ધરપકડ કરી હતી અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ઓક્ટોબર 2021માં કેદીને 14 દિવસની પેરોલ મળી હતી. પરંતુ તે પછી તે જેલમાં પરત ન ફરતાં ફરાર થઇ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રે વડોદરાના આજવા રોડ વિસ્તારના રામદેવનગર-2માં એક મકાનમાં હત્યારો રહેતો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ઘરનો ઘેરાવ કરી હત્યારાને પકડી અમદાવાદ જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
Share This Article