ડાયાબિટીસમાં અમૃતનું કામ કરશે આ જ્યુસ, ઝડપથી ઘટી જશે બ્લડ સુગર, જાણો બનાવવાની રીત
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેની કોઈ સારવાર નથી. માત્ર દવા અને ડાયટ દ્વારા તેને કંટ્રોલ કરી શકાય છે. તેવામાં સુગરના દર્દીઓ માટે આ એક જ્યુસ ખુબ ઉપયોગી છે.
ડાયાબિટીસની સારવાર દવાઓથી ન થઈ શકે. જો ખાવા-પીવાની આદતમાં ફેરફાર નહીં કરો તો દવા બેઅસર થઈ જશે. યોગ્ય ડાયટ તેવાની સાથે દવાઓની અસર જલ્દી થાય છે. તેવામાં નાના-મોટા ઘરેલુ ઉપાય કામ આવે છે. એક ઉપાય એટલી ઝડપથી બ્લડ સુગર ઘટાડે છે કે ડોક્ટર તેને વધુ લેવાની ના પાડે છે.
હાઈ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે કારેલાનું જ્યુસ પીવું જોઈએ. આ જ્યુસમાં કારેલાની સાથે ખાસ જડ્ડીબુટ્ટી નાખવામાં આવે છે. આ હોમમેડ ડ્રિંક્સ ડાયાબિટીસને વધવા દેશે નહીં. આવો કારેલાનું જ્યુસ બનાવવાની રીત જાઈએ.
જ્યુસથી ડાયાબિટીસની કાયમી સારવાર
1. કારેલા લો અને સારી રીતે પાણીથી સાફ કરો.
2. તેના ટુકડા કરી ગ્રાઇન્ડરમાં નાખી દો.
3. હવે એક ચમચી એબસિન્થે (કાલમેઘ) પાવડર ઉમેરો.
4. તેમાં થોડું પાણી, સેંધા નમક અને આંબળા પાઉડર નાખો.
5. સારી રીતે જ્યુસ બની ગયા બાદ તેને ગ્લાસમાં લઈને સેવન કરો.
ગ્લુકોઝને એનર્જી બનાવે છે કારેલા
કારેલાની અંદર એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી હોય છે, જે ઇંસુલિનની જેમ કામ કરે છે. તેનાથી બ્લડ ગ્લુકોઝને સેલ્સ એનર્જી બનાવવા માટે ઉપયોગ કરે છે. તેનાથી લોહીમાં બ્લડ સુગર વધી શકતું નથી અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
એબસિન્થે ઇન્સ્યુલિનથી ભરપૂર છે
સ્વાદુપિંડના આઇલેટ કોષો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. જ્યારે આ કોશિકાઓ સારી રીતે કામ નથી કરતી તો લોહીમાં સુગર વધવા લાગે છે. એક રિસર્ચ જણાવે છે કે એબસિન્થેની અંદર આઇલેટ્સ સેલ્સને એક્ટિવ બનાવવાની તાકાત હોય છે અને ઇંસુલિનનું ઉત્પાદન વધી જાય છે.
વધુ પીવાની ના પાડે છે ડોક્ટર
હાઈ બ્લડ સુદર ઘટાડવાના આ બંને ઉપાય ખુબ અસરકારક છે. તેનું વધુ સેવન કરવાથી બ્લડ સુગર ખુબ ઘટી જાય છે. તેથી ડોક્ટર તેનું વધુ સેવન કરવાની ના પાડે છે અને સુગર ઘટાડનારી દવાઓ લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.
કારેલાનું જ્યુસ પીવાના જોરદાર ફાયદા
1. વિટામિન સીનો બેસ્ટ સોર્સ
2. લોહીને ફિલ્ટર કરવાનું મશીન
3. કેન્સરથી બચવાના ઉપાય
4. કોલેસ્ટ્રોલને ખતમ કરવાની તાકાત
5. વજન મેનેજ કરવાના ઉપાય

