Sugar intake: સાવ ખાંડ બંધ કરવી જરૂરી છે? શરીરને સમજ્યા વગર લેવાયેલો નિર્ણય નુકસાન કરી શકે!

Arati Parmar
2 Min Read

Sugar intake: સાવ ખાંડ બંધ કરવી જરૂરી છે? શરીરને સમજ્યા વગર લેવાયેલો નિર્ણય નુકસાન કરી શકે!

આજકાલ “સફેદ ખાંડ સાવ બંધ કરી દો” એવી સલાહ ઘણી સાંભળવા મળે છે.

- Advertisement -

પરંતુ વાત એટલી સીધી નથી…

સફેદ ખાંડ શરીર માટે જરૂરી પોષક તત્ત્વ નથી, એટલે તેને ફરજિયાત ખાવાની જરૂર નથી. શરીરને જરૂરી ગ્લુકોઝ અનાજ, રોટલી, ભાત, દાળ, ફળ વગેરેમાંથી પણ મળી શકે છે.

- Advertisement -

પરંતુ બીજી તરફ, સ્વસ્થ વ્યક્તિ મર્યાદિત અને ચોક્કસ માત્રામાં સફેદ ખાંડ લે તો તેને કારણે જ તરત નુકસાન થાય એવું પણ નથી.

મુખ્ય વાત છે માત્રા અને કુલ ખોરાકનું સંતુલન.

- Advertisement -

વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ખોરાકમાં ઉમેરાતી તથા અન્ય મુક્ત ખાંડ કુલ દૈનિક ઊર્જાના ૧૦%થી ઓછી રાખવી જોઈએ. આશરે ૨૦૦૦ કેલરીના આહારમાં આ ૫૦ ગ્રામ એટલે લગભગ ૧૨ ચમચી જેટલી ખાંડ થાય છે. વધુ આરોગ્યલાભ માટે તેને ૫%થી ઓછી એટલે આશરે ૨૫ ગ્રામ અથવા ૬ ચમચી રાખવાની સલાહ છે.

ધ્યાન રાખો—આ માત્ર ચામાં નાખેલી ખાંડની વાત નથી. મીઠાઈ, ઠંડાં પીણાં, બિસ્કિટ, કેક, પેકેટવાળા ખોરાક વગેરેમાંથી મળતી બધી મુક્ત ખાંડ તેમાં ગણાય છે.

એટલે…

❌ ખાંડ વધારે ખાવી નહીં.
❌ મીઠાઈ અને ખાંડવાળા પીણાંનો અતિરેક નહીં.
❌ પરંતુ “ખાંડનું નામ જ ન લેવું” એવી અતિશયતા પણ જરૂરી નથી.

👉 સફેદ ખાંડને દુશ્મન નહીં, પરંતુ મર્યાદામાં રાખવાની વસ્તુ સમજો.

સાચું સ્વાસ્થ્ય એટલે ખાંડ સાવ બંધ કરવી નહીં… પરંતુ સંતુલિત આહાર અને યોગ્ય માત્રા સમજવી!

સંદર્ભ: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)

Share This Article