Babasaheb Dr. Ambedkar Quotes: બાબાસાહેબના એ ૧૦ વિચારો જે તમારા જીવનમાં નવી ઉર્જા ભરી દેશે

Arati Parmar
3 Min Read

Babasaheb Dr. Ambedkar Quotes: ડો. ભીમરાવ આંબેડકર ભારતના ઇતિહાસમાં એક એવા મહાન વ્યક્તિત્વ છે, જેમણે સમાજ, શિક્ષણ, રાજકારણ અને ન્યાય વ્યવસ્થાને નવી દિશા આપી. બાબાસાહેબને બંધારણના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. તેથી દર વર્ષે આ દિવસે તેમની જયંતિ ઉજવવામાં આવે છે.

બાબાસાહેબે આજીવન જાતિવાદ, ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને સમાજને નવી રાહ ચીંધી. તેમના વિચારો આજે પણ લોકોની વિચારધારા બદલી નાખે છે. તેથી અહીં તેમના 10 એવા અનમોલ વિચારો આપવામાં આવ્યા છે જે શિક્ષણ, સમાનતા અને આત્મસન્માનનો સંદેશ આપે છે.

- Advertisement -

બાબાસાહેબ ડો. આંબેડકરે શું કહ્યું હતું?

ડો. ભીમરાવ આંબેડકર સમાનતા અને સામાજિક ન્યાયના સમર્થક હતા. તેમણે કહ્યું હતું કે, ‘પોતાને શિક્ષિત કરો કારણ કે શિક્ષણ પ્રગતિની કરોડરજ્જુ છે.’ ‘હું મૂર્તિઓમાં નથી, પુસ્તકોમાં છું. મારે પૂજાવાની નહીં, વંચાવાની જરૂર છે.’ તેમના આ વિચારો આજે પણ લોકોને જ્ઞાન અને શિક્ષણના મહત્વની યાદ અપાવે છે. બાબાસાહેબ માનતા હતા કે શિક્ષણ જ સશક્તિકરણની સાચી ચાવી છે.

આંબેડકર જયંતિ પર બાબાસાહેબના 10 વિચારો

બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના વિચારો માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ જાણવા અને સમજવા જોઈએ, જે આજે પણ જીવનમાં સાચી દિશા બતાવે છે. આ વર્ષે 14 એપ્રિલના દિવસે કાર્યક્રમોમાં આ 10 વિચારો વાંચી શકાય છે:

- Advertisement -
  • ‘મને એ ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે.’

  • ‘તમારા પગમાં ભલે જુતા ન હોય, પણ હાથમાં પુસ્તક ચોક્કસ હોવું જોઈએ.’

  • ‘જીવન લાંબુ હોવાને બદલે મહાન હોવું જોઈએ.’

  • ‘લોકશાહી એ માત્ર સરકારનું એક સ્વરૂપ નથી, તે મુખ્યત્વે સંયુક્ત પ્રસારિત અનુભવની એક રીત છે.’

  • ‘હું એ ધર્મને માનતો નથી જે મનુષ્યને મનુષ્યથી અલગ કરતો હોય.’

  • ‘શિક્ષણ મહાન સમાનતા લાવનારું છે.’

  • ‘તમે પુસ્તકો સામે ઝૂકી જાઓ, તે તમારી સામે દુનિયા ઝુકાવી દેશે.’

  • ‘નારીને શિક્ષિત કરો, તે સમાજને સુધારી દેશે.’

  • ‘જે લોકો પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, તેઓ ક્યારેય નવો ઇતિહાસ રચી શકતા નથી.’

  • ‘બંદૂક કરતા વિચાર વધુ ઘાતક હોય છે. બંદૂક આપવી સરળ છે, પરંતુ બુદ્ધિ આપવી કઠિન છે.’

બાબાસાહેબ આંબેડકરના શૈક્ષણિક વિચારો

સમાનતા, શિક્ષણ અને સમાજ જેવા દરેક વિષય પર ભારતના બંધારણ નિર્માતા ડો. ભીમરાવ આંબેડકર પોતાના વિચારો રજૂ કરતા હતા. આ વખતે આંબેડકર જયંતિ પર ભાષણમાં તેમના આ વિચારો પણ વાંચી શકો છો:

  • ‘શિક્ષણ સ્વતંત્રતાના સોનેરી દરવાજા ખોલવાની ચાવી છે.’

  • ‘શિક્ષણ એ સામાજિક બદીઓ સામે લડવાનું એક શક્તિશાળી હથિયાર છે.’

  • ‘જ્ઞાતિવાદને ખતમ કરવાનો એકમાત્ર રસ્તો શિક્ષણ છે.’

  • ‘ગરીબી નિર્મૂલનનો એકમાત્ર ઉપાય શિક્ષણ છે.’

  • ‘કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય તેના યુવાનોના શિક્ષણ પર નિર્ભર કરે છે.’

ડો. બી. આર. આંબેડકરે કહ્યું હતું કે, ‘શિક્ષણ સામાજિક અને આર્થિક વિકાસની ચાવી છે. એક પુરુષને શિક્ષિત કરો તો તમે એક વ્યક્તિને શિક્ષિત કરો છો, પણ એક મહિલાને શિક્ષિત કરો તો તમે આખા પરિવારને શિક્ષિત કરો છો.’

- Advertisement -
Share This Article