Bharat Pak War : ભારતે 48 કલાકમાં તેવું પાકિસ્તાનને ધોઈ નાખ્યું કે, સાચે જ દુનિયા સમક્ષ કટોરો લઈને ભીખ માંગી રહ્યું છે, મઝાક નહીં આ સત્ય છે

Arati Parmar
By Arati Parmar 5 Min Read

Bharat Pak War : મિયાં ફુસકી આખરે માન્યા નહીં અને ભારત જેવા મજબૂત દેશ માટે આ ભિખારી રાષ્ટ્રે આખરે યુદ્ધ જાહેર કર્યા વગર ભારતના 15 જેટલા શહેરો પર હુમલો કરી દીધો.જો કે, ભારતે તેના તમામ ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ થકી તોડી પાડ્યા.એકપણ હુમલામાં તે સફળ ન થયું.અને ઉલ્ટાનું ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને કાટમાળમાં ફેરવી દીધા છે અને તેમને કબ્રસ્તાનમાં ફેરવી દીધા છે. ત્યારબાદ ગભરાયેલા પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ભારતે પાકિસ્તાનમાં એવો તબાહી મચાવી દીધી કે પાકિસ્તાન આખી રાત મૃત્યુને ખૂબ નજીક અનુભવતું રહ્યું. આખા પાકિસ્તાનમાં તબાહી છે. બધાને આઘાત અને ચિંતા છે. પાકિસ્તાન સરકારે ભારત સાથે છેડછાડ કરીને પોતાને ખુલ્લા પાડ્યા છે. ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ જ તબાહ કરી નાખી છે.અને આમપણ ગરીબીથી જુજી રહેલ આ આંતકી દેશને આખરે 48 કલાકમાં જ પાકિસ્તાની સરકારને દુનિયા પાસે ભીખ માંગવી પડે છે.તેવા અહેવાલ છે.

દુશ્મન દ્વારા થયેલા ભારે નુકસાન પછી પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી. વધતા જતા યુદ્ધ અને સ્ટોક ક્રેશ વચ્ચે, અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી કરી.

- Advertisement -

દુનિયા પાસેથી ભીખ માંગી?
પાકિસ્તાનના આર્થિક બાબતોના વિભાગે આખી દુનિયાને ભીખ માંગતી પોસ્ટ લખી. “દુશ્મનોના હાથે ભારે નુકસાન સહન કર્યા પછી, પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરે છે. વધતી દુશ્મનાવટ અને શેરબજારમાં ઘટાડા વચ્ચે, અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ માટે હાકલ કરીએ છીએ. રાષ્ટ્રને દૃઢ રહેવા વિનંતી કરવામાં આવે છે,” પોસ્ટમાં લખ્યું છે. એટલે કે, ભારત-પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે આ રીતે લખી રહેલી પોસ્ટ પાકિસ્તાની સરકારના વિનાશ વિશે ઘણું બોલી રહી છે.

પાકિસ્તાને કહ્યું કે એકાઉન્ટ હેક થયું હતું
આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ પાકિસ્તાનને આખી દુનિયામાં શરમનો સામનો કરવો પડ્યો. આના થોડા કલાકો પછી, સમાચાર એજન્સી ANI એ ટ્વિટ કરીને લખ્યું, “પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયનો દાવો છે કે સરકારના આર્થિક બાબતોના મંત્રાલયના આર્થિક બાબતો વિભાગનું ‘X’ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે”. એટલે કે, પાકિસ્તાન સરકાર હવે આ મામલે કહી રહી છે કે આ એકાઉન્ટ હેક થયું હતું, તેથી આ નકલી સમાચાર છે. પરંતુ ત્યાં સુધીમાં પાકિસ્તાન આખી દુનિયામાં બદનામ થઈ ગયું હતું.

- Advertisement -

ઓપરેશન સિંદૂરથી ભારે તબાહી મચી ગઈ, આજે ખાસ દિવસ છે
બીજી બાજુ, આજે પાકિસ્તાન માટે આજનો દિવસ પણ મોટી તબાહીનો બની શકે છે. ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ને પાકિસ્તાનને આપવામાં આવતી લોનની સમીક્ષા કરવા જણાવ્યું છે, અને આરોપ લગાવ્યો છે કે આ ભંડોળ આતંકવાદને પ્રોત્સાહન આપી શકે છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલેથી જ નાજુક છે, જ્યાં તેને તાજેતરમાં IMF તરફથી $7 બિલિયનનું બેલઆઉટ પેકેજ મળ્યું છે. પરંતુ ચાલી રહેલા યુદ્ધ અને શેરબજારમાં ઘટાડાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. વિશ્લેષકો કહે છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર આ કટોકટીનો સામનો કરવા સક્ષમ નથી, અને યુદ્ધ વધવાથી બંને દેશોમાં ભારે માનવ અને આર્થિક નુકસાન થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તણાવ ઓછો કરવા અપીલ કરવામાં આવી હોવા છતાં, બંને દેશો વચ્ચે પરિસ્થિતિ ગંભીર છે. ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિઓ હોવાથી આખી દુનિયાની નજર બંને દેશો પર ટકેલી છે.

અને બીજી તરફ બદલાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં અમેરિકાએ શરૂ કરેલ ટેરિફ વોરમાં આજે દુનિયા જ્યાં ઘણા હિસ્સાઓમાં વહેંચાઈ ગઈ છે ત્યાં કોઈપણ દેશ માટે આજે યુદ્ધો એ ઘાટાનો સોદો જ સાબિત થાય તેમ છે.કેમ કે, ઓલરેડી મંદી નો દોર ચાલી રહ્યો હોય ત્યાં જો યુદ્ધ લડવામાં આવે તો સ્વાભાવિકપણે જ મોટો ખર્ચ અને નુકસાન જે તે રાષ્ટ્રે સહન કરવું પડે તેમ છે. ત્યારે પાકિસ્તાન તો આમપણ ક્યારનું ભયાનક ગરીબી અને ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આ યુદ્ધ તેને જરાપણ ન પોષાય.

- Advertisement -

તેમછતાં હવે તેણે વિના કોઈ કારણે યુદ્ધ શરુ કર્યું જ છે તો તેણે અંજામ પણ ભોગવવવો જ પડશે.હજી સમજે તો સારું છે નહિતર 50 વર્ષ પાછળ ધકેલાઈ સાચે જ દરેક પાકિસ્તાનીએ ભીખનો કટોરો લઇ જે તે દેશને આજીજી કરવી પડશે.

Share This Article