CISF Removal from Indian Airports: દિલ્હી સહિત 70 એરપોર્ટ પરથી હટશે 12 હજાર CISF જવાનો, ખાનગી સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે

Arati Parmar
2 Min Read

CISF Removal from Indian Airports: દિલ્હી-મુંબઈ સહિત દેશના 70 થી વધુ હવાઈ મથકોની સુરક્ષામાં લાગેલા CISF જવાનોને મોટી સંખ્યામાં હટાવવામાં આવી શકે છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) એ આ એરપોર્ટનું સિક્યોરિટી રિવ્યુ કર્યું. ત્યારબાદ 50 હજાર જવાનોમાંથી આશરે 12 હજાર જવાનોને હટાવવાની એક યાદી બનાવવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે BCAS એ આ યાદી નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત એજન્સીઓને પણ સોંપી દીધી છે. હવે આ વાત પર ઊંડી ચર્ચા કરવામાં આવી રહી છે કે શું દેશ અને દુનિયામાં વર્તમાન સંકટોને જોતા દેશના હવાઈ મથકો પરથી આટલી મોટી સંખ્યામાં CISF જવાનોને હટાવવા યોગ્ય રહેશે.

- Advertisement -

ક્યાં તૈનાત કરવામાં આવશે પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ?

મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું એ પણ કહેવું છે કે આમાં સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવી રહ્યું નથી, પરંતુ સર્વેમાં તમામ એરપોર્ટના સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને એવા પોઈન્ટ્સની ઓળખ કરવામાં આવી જ્યાં જોખમ નહિવત છે અને આવા પોઈન્ટ્સ પર પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ રાખીને પણ કામ ચલાવી શકાય તેમ છે.

CISF જવાનો અહીં સૌથી વધુ તૈનાત છે

સૌથી વધુ જવાનો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા મોટા એરપોર્ટ પર તૈનાત છે. અહીં ઘણા પોઈન્ટ્સ પર તેમની આટલી મોટી સંખ્યામાં જરૂર નથી. અભ્યાસ પણ આ જ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે કે જ્યાં CISF ના ટ્રેન્ડ જવાનની જરૂર જ નથી, ત્યાં ટ્રેન્ડ જવાન કેમ લગાવવા જોઈએ. તેમની જગ્યાએ ખાનગી સુરક્ષાકર્મીઓને લગાવીને કામ ચલાવી શકાય છે. આનાથી ખર્ચ પણ ઓછો થશે અને લોકોને પણ કોઈ અસુવિધા થશે નહીં. જોકે જ્યાં જરૂરી હશે, ત્યાંથી CISF હટશે નહીં.

- Advertisement -
Share This Article