DRDO Pragya Satellite System: DRDOએ ગૃહ મંત્રાલયને સોંપ્યું હાઈટેક સેટેલાઇટ સિસ્ટમ, આતંકીઓ અને નક્સલીઓનો ખાતમો કરવા માટે હવે એજન્સીઓ થશે વધુ શક્તિશાળી

Arati Parmar
4 Min Read

DRDO Pragya Satellite System: ભારતની આંતરિક સુરક્ષા વધારવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ વધુ એક મહત્વનું યોગદાન આપ્યું છે. DRDOએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને AIથી સજ્જ એક આધુનિક સેટેલાઇટ સિસ્ટમ સોંપી છે.

કર્તવ્ય ભવન-3 માં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સોમવારે DRDOના સચિવ સમીર વી કામતે કેન્દ્રીય ગૃહ સચિવને ‘પ્રજ્ઞા’ ઇમેજિંગ સેટેલાઇટ સિસ્ટમ સોંપી. DRDO દ્વારા આ સેટેલાઇટ આંતરિક સુરક્ષા એજન્સીઓને સજ્જ અને આધુનિક બનાવવાના હેતુથી વિકસાવવામાં આવી છે. પ્રજ્ઞા ઇમેજિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી છે.

- Advertisement -

પ્રજ્ઞાને કોણે વિકસાવી?

આ આધુનિક પ્રજ્ઞા ઇમેજિંગ સેટેલાઇટ સિસ્ટમને DRDOની પ્રયોગશાળા સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ (CIAR) દ્વારા સંપૂર્ણપણે ભારતમાં જ વિકસાવવામાં આવી છે. આની ખાસિયત એ છે કે તે AI પર આધારિત છે, જેનાથી ગૃહ મંત્રાલયને વાસ્તવિક સમયમાં (રિયલ ટાઇમ) નિર્ણય લેવામાં મદદ મળશે. સાથે જ ભારતની આંતરિક સુરક્ષાને ઘણો વેગ મળશે.

- Advertisement -

આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મળશે મદદ

આ સેટેલાઇટ સિસ્ટમની મદદથી ગૃહ મંત્રાલયને તાત્કાલિક નિર્ણય લેવામાં સહાય મળશે. સાથે જ સુરક્ષા એજન્સીઓને દેશના સંવેદનશીલ વિસ્તારોની દેખરેખ રાખવામાં મદદ મળશે. આ ઉપરાંત આતંકવાદીઓ અને નક્સલીઓ વિરુદ્ધના ઓપરેશનમાં મદદ મળશે.

નૌકાદળને ટૂંક સમયમાં મળશે ADC-150

બીજી તરફ DRDO અને ભારતીય નૌકાદળએ તાજેતરમાં જ ગોવાના તટ પર સ્વદેશી રીતે વિકસિત એર-ડ્રોપેબલ કન્ટેનર ‘ADC-150’ ના ચાર સફળ ઇન-ફ્લાઇટ રિલીઝ ટ્રાયલ કર્યા છે. આ એક એવી ટેકનોલોજીનું સફળ પરીક્ષણ છે, જેનાથી સમુદ્રની વચ્ચે તૈનાત નૌકાદળના જહાજો સુધી જરૂરી સામાન પહોંચાડવો ઘણો સરળ બની જશે. આ સ્વદેશી કન્ટેનરનું નામ ‘ADC-150’ રાખવામાં આવ્યું છે. તે નૌકાદળને વિવિધ મિશન અને અભિયાનોમાં મહત્વપૂર્ણ મદદ કરશે.

- Advertisement -

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટ્રાયલ ગોવાના દરિયાકાંઠે 21 ફેબ્રુઆરીથી 1 માર્ચની વચ્ચે કરવામાં આવ્યા હતા. નૌકાદળના P-8I વિમાન દ્વારા આ કન્ટેનરને હવામાં નીચે ફેંકવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન એ જોવામાં આવ્યું હતું કે શું તે અલગ-અલગ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય રીતે નીચે ઉતરે છે કે નહીં. કુલ ચાર વખત આ ટેસ્ટ કરવામાં આવ્યો અને તમામ ટેસ્ટ સફળ રહ્યા.

શું થશે ફાયદો?

સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. તેને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવ્યું છે. આના પર આગ્રા, બેંગલુરુ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમની સરકારી પ્રયોગશાળાઓએ મળીને કામ કર્યું છે.

  • આની સૌથી મોટી ખાસિયત તેની 150 કિલોગ્રામની ક્ષમતા છે.

  • આ કન્ટેનર પોતાની સાથે 150 કિલોગ્રામ સુધીનો સામાન જેમ કે દવાઓ, સ્પેરપાર્ટ્સ અથવા ખાવા-પીવાની વસ્તુઓ લઈ જઈ શકે છે.

  • આનો ફાયદો એ થશે કે નૌકાદળને યોગ્ય સમયે આવશ્યક વસ્તુઓનો નિર્ધારિત સપ્લાય કરી શકાશે.

  • અવારનવાર જ્યારે નૌકાદળના જહાજો તટથી હજારો કિલોમીટર દૂર ઊંડા સમુદ્રમાં હોય છે ત્યારે તેમના સુધી જરૂરિયાતનો સામાન કે ઇમરજન્સી મેડિકલ કિટ પહોંચાડવી મુશ્કેલ હોય છે, પરંતુ હવે આ કન્ટેનરની મદદથી વિમાન દ્વારા આ સામાન સીધો તેમના સુધી પહોંચાડી શકાશે. આનું આગામી પગલું હવે આ સુવિધાને નૌકાદળના ઉપયોગમાં લાવવાનું છે.

Share This Article