શ્રેષ્ઠ કામ

Reena Brahmbhatt
1 Min Read

શ્રેષ્ઠ કામ
અમદાવાદ ખાતે ઈસ્કોન પાસે સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા ડૉ.કે.આર. શ્રોફ સેવા સદનનું કામ.

સદવિચાર પરિવારના પ્રમુખ અને પદ્મશ્રી ડોક્ટર પંકજ એમ.શાહે કહ્યું કે, સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા વરિષ્ટ નાગરિકો માટે ૪૦ બેડની ક્ષમતા સાથે આધુનિક રિહેબિલિટેશન છે.

- Advertisement -

સેવા સદનમાં
આંખની હોસ્પિટલ,
હેલ્થ કેર સહાય માટે તાલીમ કેન્દ્ર,
વરિષ્ઠ નાગરિકો માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિક,
મહિલાઓ માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિક,
બાળકો માટે ક્લિનિક,
જરૂરિયાતમંદ માટે મફતનું દવાખાનું,
માનસિક આરોગ્ય ક્લિનિક,
ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર,
ડેન્ટલ ક્લિનિક,
લેબોરેટરી સેવાઓ,
દર્દી માટે ઘરે લઈ જવા માટેના મેડિકલ સાધનો,
એમ્બ્યુલન્સ,
હોમ કેર વાન,
કોન્ફરન્સ હોલ જેવી સેવાઓ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે જગ્યા આ સેવાસદનમાં ઉપલબ્ધ છે.

રીડિંગ રૂમમાં વર્ષ દરમિયાન ૩૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે.

- Advertisement -

પુનિત ખીચડી પરસાદ દ્વારા ૧૦૦ જેટલી વ્યક્તિઓને નિશુલ્ક ભોજન અને જરૂરિયાત બંધ પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવે છે.

અમદાવાદમાં નરોડા ખાતે આવેલ સદવિચાર પરિવાર હરગોવનદાસ પ્રભુદાસ આંખની હોસ્પિટલમાં દર્દીના મોતિયાના અધ્યતન ટ્રોપિકલ પદ્ધતિથી ફેંકો મશીન દ્વારા લેન્સ મૂકીને ઓપરેશન ખુબ નજીવા દરે કરવામાં આવે છે.
****
allgujaratnews.in/gj

- Advertisement -
Share This Article