Jagdeep Dhankhar Resign: આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા?

Arati Parmar
2 Min Read

Jagdeep Dhankhar Resign: જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામાં બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. તેમણે સ્વાસ્થ્યના કારણો જણાવી રાજીનામું આપ્યું છે, પરંતુ આ નિર્ણયના સમયને લઈને વિપક્ષે સરકાર પર પ્રહારો શરૂ કર્યા છે. હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની વિપક્ષની નોટિસ સ્વીકાર્યાના થોડા સમય બાદ જ બે કેન્દ્રીય મંત્રીઓએ ધનખડ સાથે વાત કરી હતી.

વડાપ્રધાન મોદી ખુશ નથી…

- Advertisement -

અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ સંકેત પણ આપ્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નિર્ણયથી ખુશ નથી. તેના પર ધનખડે જવાબ આપ્યો હતો કે, નિયમ હેઠળ જ કર્યું છે.

કેન્દ્રીય મંત્રીએ ધનખડ સાથે કરી વાત

- Advertisement -

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે (21 જુલાઈ) ધનખડ સાથે વાત કરી હતી. આ વાતચીત હાઇકોર્ટ ન્યાયાધીશ સામે મહાભિયોગ નોટિસ પર રાજ્યસભામાં ધનખડના નિવેદન બાદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મહાભિયોગની નોટિસ પર 63 સાંસદોએ સહી કરી હતી.

મેં નિયમો અંતર્ગત જ કામ કર્યુંઃ ધનખડ

- Advertisement -

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રિજિજુએ ધનખડને જણાવ્યું હતું કે, લોકસભામાં મહાભિયોગ પર સંમતિ બનાવવાની એક પ્રક્રિયા હોય છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નોટિસ પર સહી કરી છે. આ સાથે રિજિજુએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન અચાનક બનેલી આ ઘટનાથી ખુશ નહોતા. જોકે, ધનખડે કહ્યું કે, મેં નિયમોમાં રહીને જ કામ કર્યું છે.

સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં યોજાયેલી BAC એટલે કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની પહેલી બેઠક પછી આ ઘટના બની હોઈ શકે છે. જ્યાં નેતાઓએ 4:30 વાગ્યે યોજાયેલી બીજી બીએસી બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણયથી સરકાર ચોંકી ગઈ હતી. એવું કહેવાય છે કે સરકાર આ પ્રક્રિયા લોકસભા દ્વારા કરવા માંગતી હતી.

 

Share This Article