Meghalaya Illegal Mining Case: મૃત્યુના ‘રેટ હોલ’ પર NGTનો હથોડો: મેઘાલયમાં ગેરકાયદે ખનન અને ૩૦ મજૂરોના મોત મામલે સુઓમોટો સંજ્ઞાન

Arati Parmar
3 Min Read

Meghalaya Illegal Mining Case: મેઘાલયમાં એક ગેરકાયદે રેટ-હોલ કોલસાની ખાણના સંચાલન અને તાજેતરના વિસ્ફોટ બાદ થયેલા મોતના કિસ્સામાં સુઓમોટો (જાતે જ) સંજ્ઞાન લેતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ પર્યાવરણીય કાયદાઓના ઉલ્લંઘનનો હવાલો આપીને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને મેઘાલય સરકારને નોટિસ જારી કરી છે.

૫ ફેબ્રુઆરીના રોજ પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લાના માઇનસંગટ-થાન્ગસ્કો વિસ્તારમાં ૧૦૦ ફૂટ ઊંડી એક ગેરકાયદે કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો, જેમાં ૧૮ લોકોના મોત થયા. ૧૦ ફેબ્રુઆરીએ અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક મૃત્યુઆંક ૧૮ થી વધીને ૩૦ થઈ ગયો છે.

- Advertisement -

૬ ફેબ્રુઆરીએ જારી કરેલા પોતાના આદેશમાં ભારતની ટોચની હરિત અદાલત NGT એ કહ્યું કે (તત્કાલીન) ૧૮ મોતો સાથે ૫ જાન્યુઆરીએ થયેલી આ ઘટના, જુલાઈ ૨૦૨૧ પછી ખનન સાથે જોડાયેલી સૌથી મોટી દુર્ઘટનાઓમાંથી એક છે.

અદાલતે એ પણ નોંધ્યું કે કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, રાજકારણીઓ અને અન્ય પ્રભાવશાળી લોકોના સંરક્ષણમાં ખાણ માલિકો એપ્રિલ ૨૦૧૪ માં NGT દ્વારા કોલસાના ખનન અને તેના પરિવહન પર લગાવવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે કામ કરતા રહ્યા – જેને બાદમાં સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો.

- Advertisement -

ટ્રિબ્યુનલે કહ્યું, ‘ઉપરોક્ત મામલો NGT ના આદેશોના ઉલ્લંઘન અને પાલન ન થવાને દર્શાવે છે, જેમાં વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧, ભારતીય વન અધિનિયમ, ૧૯૨૭ અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬ નું ઉલ્લંઘન સામેલ છે.’

ટ્રિબ્યુનલે એ પણ ઉમેર્યું કે આ ઘટના ‘પર્યાવરણના નિયમોના પાલન અને નક્કી કરેલા કાયદાના નિયમોના અમલીકરણ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ’ ઉઠાવે છે.

- Advertisement -

મામલાનું જાતે જ સંજ્ઞાન લેતા NGT ના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને નિષ્ણાત સભ્ય એ. સેન્થિલ વેલની બેન્ચે મેઘાલયના મુખ્ય સચિવ શકીલ પી. અહેમદ, દિલ્હી સ્થિત CPCB અને શિલોંગ સ્થિત તેની સંકલિત પ્રાદેશિક કચેરી, તથા પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લાના ડેપ્યુટી કમિશનર મનીષ કુમારને નોટિસ જારી કરી છે. સંબંધિત સત્તાવાળાઓએ ૧૨ મે સુધીમાં ટ્રિબ્યુનલ સમક્ષ જવાબ દાખલ કરવો પડશે. ત્યારબાદ ૧૯ મેના રોજ આ મામલે સુનાવણી થશે.

જણાવી દઈએ કે મેઘાલયમાં NGT દ્વારા વર્ષ ૨૦૧૪ માં પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી પણ રેટ હોલ ખાણોમાં ખનન ચાલુ છે. રેટ હોલ ખાણ ઉંદરના દર જેવી હોય છે, જેમાં સાંકડી સુરંગો ખોદવામાં આવે છે, જેની અંદર મજૂરો જાય છે અને કોલસો કાઢીને લાવે છે.

વિસ્તારમાં ગેરકાયદે કોલસા ખનનને કારણે વર્ષોથી ઘણી જીવલેણ ઘટનાઓ બની ચુકી છે, જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) અને સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં આ સિલસિલો ચાલુ રહ્યો છે.

ત્યારે ટ્રિબ્યુનલે મેઘાલય સરકાર – તેના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક – બંનેને કહ્યું હતું કે ‘આખા મેઘાલય રાજ્યમાં રેટ-હોલ/ગેરકાયદે ખનન તાત્કાલિક રોકવામાં આવે અને આ ટ્રિબ્યુનલના આગળના આદેશ સુધી કોલસાનું કોઈ પણ ગેરકાયદે પરિવહન ન થાય.’

NGT એ આ આદેશનું પાલન ન થવા પર વારંવાર ચિંતા પણ વ્યક્ત કરી છે. ૨૦૨૪ માં નાગાલેન્ડમાં એક ગેરકાયદે રેટ-હોલ કોલસાની ખાણમાં છ મજૂરોના મોત પછી NGT એ નાગાલેન્ડ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખનન વિભાગ સહિત અન્યને આ ઉલ્લંઘન બદલ ફટકાર લગાવી હતી.

Share This Article