Nitish Kumar Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની બંપર જીતથી ગદગદ થયેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ચૂંટણી પરિણામોમાં વલણ મુજબ એનડીએ 200થી વધુ બેઠકો પર આગળ છે, જેમાં ભાજપ 91 અને જનતા દળ યુનાઈટે (JDU) 85 બેઠકો પર આગળ છે.
મુખ્યમંત્રીએ PM મોદી અને બિહારવાસીઓનો આભાર માન્યો
મુખ્યમંત્રી નીતિશ કુમારે જીત બાદ ટ્વિટ કરીને પ્રથમ પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં રાજ્યના લોકોએ અમને ભારે બહુમત આપ્યો અને અમારી સરકાર પર વિશ્વાસ રાખ્યો છે. હું આ બંપર જીત આપવા બદલ રાજ્યના તમામ મતદારોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા મળેલા સમર્થન બદલ તેમને નમન કરું છું અને હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’
बिहार विधान सभा चुनाव-2025 में राज्यवासियों ने हमें भारी बहुमत देकर हमारी सरकार के प्रति विश्वास जताया है। इसके लिए राज्य के सभी सम्मानित मतदाताओं को मेरा नमन, हृदय से आभार एवं धन्यवाद।
आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी को उनसे मिले सहयोग के लिए उनका नमन करते हुए हृदय…
— Nitish Kumar (@NitishKumar) November 14, 2025
નીતિશે ચિરાગ પાસવાનનો પણ આભાર માન્યો
નીતિશ કુમારે વધુમાં લખ્યું છે કે, ‘એનડીએ ગઠબંધને ચૂંટણીમાં એકતા દેખાડીને ભારે બહુમતી મેળવી છે. આ મોટી જીત બદલ હું ગઠબંધનના તમામ સાથી ચિરાગ પાસવાન (Chirag Paswan), જીતન રામ માંઝી (Jitan Ram Manjhi) અને ઉપેન્દ્ર કુશવાહા (Upendra Kushwaha)નો પણ આભાર માનું છું. આપ સૌના સહયોગથી બિહાર વધુ આગળ વધશે અને બિહાર દેશના સૌથી વિકાસશીલ રાજ્યની કેટેગરીમાં સામેલ થશે.’
ચૂંટણી પરિણામમાં NDAએ બહુમતનો આંકડો પાર કર્યો
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને 243 બેઠકોમાંથી બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 91 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 85 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 19 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 24, કોંગ્રેસ છ, સીપીઆઈએમએલએલ 2, સીપીઆઈએમ એક બેઠક અને આઈઆઈપી એક બેઠક પર આગળ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.

