રાહુલ ગાંધી મણિપુરના રાજ્યપાલને મળ્યા

Reena Brahmbhatt
1 Min Read

ઇમ્ફાલ, 08 જુલાઇ. સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યા હતા. આ બેઠક દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ વિનીત જોશી અને સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ હાજર હતા. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના નેતા ઓકરામ ઈબોબી સિંહ, કેશમ મેઘચંદ્ર અને ગાયખાંગમ પણ હાજર હતા.

rahul meet anusuya uikey manipur governor

- Advertisement -

આજે તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ રાજ્યની જીરીબામ ઉચ્ચ માધ્યમિક શાળા, મોઇરાંગમાં ફુબાલા અને ચુરાચંદપુર જિલ્લાના તુઇબોંગ ગામમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે જાતિ હિંસાથી પ્રભાવિત શિબિરોમાં રહેતા લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓ ઈમ્ફાલમાં પૂર પ્રભાવિત લોકોને પણ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજે સવારે રાહુલ ગાંધી નવી દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા સિલચરના કુંભિરગ્રામ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી તેઓ રોડ માર્ગે મણિપુરના જીરીબામ પહોંચ્યા. રસ્તામાં તેમણે કછાર જિલ્લાના લખીપુર ફુલરાતાલમાં સ્થિત પૂર રાહત શિબિરની મુલાકાત લીધી. રાહુલ ગાંધી જીરીબામથી વિશેષ વિમાન દ્વારા ઈમ્ફાલના બીર ટિકેન્દ્રજીત ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા.

- Advertisement -

મણિપુર ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની મુલાકાતને લઈને સવાલો ઉઠાવતા કહ્યું કે, મણિપુરની સ્થિતિને લઈને રાહુલ ગાંધી શરૂઆતથી જ રાજનીતિ કરી રહ્યા છે. ભાજપે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી પાસેથી ગંભીરતાની અપેક્ષા રાખી શકાય નહીં.

Share This Article